મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના ગરુમંત્રી અનિલ દેશમુખે આજે રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ અનિલ દેશમુખ સતત વિવાદોમાં હતા અને આ કેસથી મહારાષ્ટ્રની સરકાર પર પણ દબાણમાં હતી.
NCPએ શું આપ્યું નિવેદન
એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે અનિલ દેશમુખે આજે શરદ પવાર તથા પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી તથા કહ્યું કે તે પદ પર રહેવા મંગતા નથી. જે બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રીને રાજીનામું આપવા પહોંચ્યા. પાર્ટીએ પણ સીએમને દેશમુખનું રાજીનામું સ્વીકારી લેવા આગ્રહ કર્યો છે.
નોંધનીય છે કે આજે જ બોમ્બે હાઇકોર્ટ દ્વારા નેલ દેશમુખ પર મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સોમવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધા છે.
15 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે
બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે પ્રાથમિક તપાસ CBI દ્વારા દ્વારા કરવામાં આવશે અને તેમાં બધાએ સહયોગ આપવાનો રહેશે. 15 દિવસમાં CBIના ડાયરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે અને જૉ CBIને દેશમુખ સામે કેસ મજબૂત બનશે તો CBI FIR દાખલ કરશે.
બોમ્બે હાઈકોર્ટનું અવલોકન, મામલો અતિ ગંભીર છે
અરજી પર સુનાવણી કરતાં બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ મામલે FIR થઈ છે, પોલીસથી તપાસની અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને તે જ રાજ્યના ગૃહમંત્રી અમિત છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર રહી ન શકાય. તેથી આ મામલે CBI દ્વારા તપાસ કરવાની જરૂર છે.
શું છે સમગ્ર કેસ
નોંધનીય છે કે પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી દેશમુખ પોલીસ અધિકારી પાસે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરાવતા હતા અને તે બાદ પરમબીર સિંહ હાઇકોર્ટ પહોંચ્યા હતા.
Maharashtra Home Minister Anil Deshmukh submits resignation to Chief Minister Uddhav Thackeray: NCP sources