મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા છે. બીજી બાજું ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16 હજાર 156 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 17 હજાર 95 સાજા થયા છે. આ દરમિયાન કોરોનાથી 733 લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 3 કરોડ 42 લાખ 31 હજાર 809 થઈ ગઈ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 17 હજાર 95 લોકો સાજા થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 14 હજાર 434 લોકો સાજા થયા છે.
દેશમાં અત્યાર સુધી 104 કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, બુધવારે દેશમાં કોરોનાના 49 લાખ 9 હજાર 254 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 104 કરોડ 4 લાખ 99 હજાર 873 લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું છે કે બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 12 લાખ 90 હજાર 900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 9445 લોકો કોરોનાની ચપેટમાં
કેરળમાં, છેલ્લા 24 કલાકમાં 82,689 નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી, 9,445 લોકો સંક્રમિત જણાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે રાજ્યમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટ (ટીપીઆર) 11.42 ટકા નોંધાયો છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને 76,554 થઈ ગઈ છે, જેમાંથી 9.4 ટકા હોસ્પિટલોમાં છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 93 લોકોએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન, રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 93 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેનાથી મૃત્યુઆંક 29,977 પર પહોંચી ગયો છે. રસીકરણના મોરચે, 18 વર્ષથી વધુ વયની વસ્તીના 94.5 ટકા (2.52 કરોડ)એ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 49.5 ટકા (1.32 કરોડ) એ બંને ડોઝ મેળવ્યા છે.