NCPના પ્રદેશ પ્રમુખ અને અઘાડી સરકારના વરિષ્ઠ મંત્રી જયંત પાટિલે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો ઇન્કાર કરી દીધો.
ગૃહમંત્રી અનિલ દેશમુખ નહીં આપે રાજીનામું
NCP અધ્યક્ષ શરદ પવારના ઘરે થયો નિર્ણય
3 કલાક ચાલી હતી બેઠક
રવિવારે NCP અધ્યક્ષ શરદ પવારના ઘરે 3 કલાક સુધી ચાલેલી બેઠક બાદ જયંત પાટિલે કહ્યું કે, બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયની બહાર વિસ્ફોટક ભરેલા વાહન અને વેપારી મનસુખ હિરેનના મોત મામલે ધ્યાન ભટકાવવાની જરૂર નથી. જોકે દર મહિને 100 કરડો રૂપિયાની મહાવસૂલીના રાજકીય તોફાનમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર રાજીનામું આપવાનું દબાણ બહુ વધી ગયું હતું.
NCPના ઉચ્ચ નેતાઓની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
વરિષ્ઠ મંત્રી જયંત પાટિલે કહ્યું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ નથી ઉઠતો. એવું કરીને 2 મહત્વની ઘટનાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. તો NCP અધ્યક્ષ શરદ પવારે સંમેલનમાં કહ્યું કે, અનિલ દેશમુખના મામલે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.
જણાવી દઇએ કે આ બેઠક અનિલ દેશમુખ વિરૂદ્ધ મુંબઈ પોલીસના પૂર્વ DGP પરમબીર સિંહના આરોપોના પરિપ્રેક્ષ્યમાં NCPના ઉચ્ચ નેતાઓ સાથે થઇ હતી. પરમબીરસિંહે દાવો કર્યો છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઇચ્છતા હતા કે પોલીસ અધિકારી મુંબઈમાં હોટલ અને બારથી તેમના માટે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરે.