ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે હવે વેક્સિન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગઈ છે.
મહારાષ્ટ્રએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આરોપ
ગુજરાતને વધારે વેક્સિન અપાઈ રહી હોવાનો આરોપ
મહારાષ્ટ્રમાં જ છે કોરોના વાયરસના સૌથી વધારે કેસ
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધતો વિવાદ
કોરોના વાયરસના કારણે ભારતમાં અત્યારે બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરમાં દરરોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જોકે પહેલી અને બીજી લહેર વચ્ચે તફાવત એ છે કે બીજી લહેરમાં ભારત પાસે વેક્સિનરૂપી હથિયાર છે. ભારત સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિન કરવા માટેના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યાં વેક્સિન કયા રાજ્યમાં કેટલી આપવી તે મુદ્દે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગઈ છે.
ગુજરાત પર મહેરબાન થઈ ગઈ સરકાર!
ભારતમાં કોરોના વાયરસ વેક્સિન માટે હવે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે વેક્સિન આપવામાં તેમના સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર જરૂરિયાત કરતાં ઓછા ડોઝ આપી રહ્યા છે. જ્યારે ગુજરાત અને યુપી જેવા રાજ્યમાં મહારાષ્ટ્ર કરતાં પણ વધારે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હવે અમારા પાસે માત્ર 2 દિવસનો જ સ્ટોક બચ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રીના આરોપોમાં કેટલો દમ?
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે ગુજરાતની વસ્તી તો મહારાષ્ટ્ર કરતાં અડધી છે, છતાં ગુજરાતને વધારે વેક્સિન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રને અત્યારે માત્ર 7.5 લાખ વેક્સિન ડોઝ આપવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ લગાવ્યો કે અત્યારે કેટલાય એવા જિલ્લા છે જ્યાં કોરોના વેક્સિનની કમીના કારણે કામ રોકી દેવામાં આવ્યું છે. કે રાજ્યમાં જ સૌથી વધારે કેસ સામે આવ્યા છે ત્યાં જ આટલા ઓછા ડોઝ કેમ આપવામાં આવી રહ્યા છે.
બીજી તરફ એનસીપી નેતા સુપ્રિયા સુલેએ પણ દાવો કર્યો હતો કે પૂણેમાં 100થી વધારે વેક્સિનેશન સેન્ટર પર કામ ઠપ થઈ ગયું છે કારણ કે ત્યાં ડોઝ ઉપલબ્ધ નથી. મહારાષ્ટ્રના સાતારામાં પણ વેક્સિનની કમીના કારણે કામ રોકી દેવામાં આવ્યું છે.