મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મંત્રીમંડળના વિસ્તરણ મામલે ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. શરદ પવારના જન્મદિવસે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. 12 ડિસેમ્બરે NCP પ્રમુખ શરદ પવારનો જન્મદિવસ છે.
ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું થઇ શકે વિસ્તરણ
12 ડિસેમ્બરની કરાઇ પસંદગી
અજીત પવારને મળી શકે મહત્વનું સ્થાન
નોંધનીય છે કે, એ દિવસે જ મહારાષ્ટ્રના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. બીજી તરફ અજીત પવારને પણ મંત્રી મંડળમાં સમાવવામાં આવી શકે છે. અજીત પવારને ગૃહ અથવા નાણા મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જોકે અજીપ પવાર મામલે અંતિમ નિર્ણય શરદ પવાર લેશે.
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર રચાઈ છે. જોકે ત્રણેય પાર્ટીના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જોકે હવે મહત્વના મંત્રાલય માટે ત્રણેય પાર્ટીના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.પણ હવે આ ખેંચતાણનો અંત આવે તેવી શક્યતા છે.
400 શિવસેના કાર્યકર્તાઓએ પાર્ટીને કર્યુ અલવિદા
મુંબઇના ધારાવીમાં અંદાજે 400 શિવસેના કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આ શિવસેના માટે મોટો ઝટકો છે. ભાજપામાં જોડાયેલા કાર્યકરો શિવેસનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી હોવાથી ખાસા નારાજ છે. કાર્યકરોએ પ્રહાર કરતા કહ્યું કે શિવસેનાએ ભ્રષ્ટ અને વિરોધી પક્ષ સાથે હાથ મેળવ્યો છે.