મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે બહુમત સાબિત કરનારા નવનિર્વાચિત મુખ્યમંત્રી એકનાથ શિંદે મોટા સંકેતો આપ્યા છે. જેનાથી મહારાષ્ટ્રની જનતાને મોટો લાભ થશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં એકનાથ શિંદે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેનું CM તરીકે પ્રથમ ભાષણ
મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે સરકાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય વિધાનસભામાં સોમવારે કહ્યું કે, તેમની સરકાર ઈંધણ પર વૈટ ટૂંક સમયમાં ઘટાડશે. શિંદેએ વિશ્વાસ મત જીત બાદ એક ચર્ચામાં આ પ્રકારનો જવાબ આપતા ધ્યાન દોર્યું હતું કે, ઈંધણ પર વૈટ ઘટાડવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળમાં લેવામાં આવશે.
વિધાનસભામાં CM તરીકે પ્રથમ ભાષણ આપ્યું
આ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું કે, બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેએ શિવસેના-ભાજપ સરકારની સ્થાપના કરી છે. હાલના બળવાના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે, મારી સાથે છેલ્લા 15-20 દિવસ સુધી શિવસેનાના 40 ધારાસભ્યો અને અપક્ષના 11 ધારાસભ્યો, કુલ 50 ધારાસભ્યોએ મારા પર વિશ્વાસ રાખ્યો આટલો મોટો નિર્ણય કરવાની હિમ્મત દેખાડી. તેના માટે આ તમામનો આભાર.
બળવા પર કહી વાત
શિંદેએ કહ્યું કે, મને હજૂ પણ વિશ્વાસ નથી થતો કે, આજે હું એક મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાં બોલી રહ્યો છું. કારણ કે જો આપ મહારાષ્ટ્રની અલગ અલગ ઘટનાઓ પર નજર કરશો તો લોકપ્રતિનિધિ વિપક્ષમાંથી સત્તા તરફ આવતા હોય છે. પણ આજે અહીં ઐતિહાસિક ઘટના છે, જે દેશ અને રાજ્યએ પણ જોયું. મને દેવેન્દ્રજીએ જણાવ્યું હતું કે, 33 દેશો તેને જોઈ રહ્યા છે. આ ઘટનામાં અમે સત્તાથી અમે વિપક્ષ તરફ ગયા. અમારી સાથે કેટલાય મંત્રી હતા, તેઓ પોતાનું મંત્રીપદ છોડીને મારી સાથે આવ્યા હતા. 50 ધારાસભ્યો મારી સાથે આવ્યા અને મારા જેવા એક કાર્યકર્તા જે બાલાસાહેબ અને દીધે સાહેબના સૈનિક છે, તેના પર વિશ્વાસ કર્યો.