મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓના ફોન ટૈપિંગ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે તપાસના આદેશ આપ્યા છે.
ઉદ્ધવ સરકારે ફોન ટૈપિંગને લઇ આપ્યા તપાસના આદેશ
મહારાષ્ટ્ર ચૂંટણી બાદ સરકાર બનાવવા દરમિયાન થયા ફોન ટેપ
શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના ફોન થયા ટેપઃ સૂત્ર
એક મળતી માહિતી મુજબ આ ફોન ટૈપિંગ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સરકાર બનાવવાના જે પ્રયત્નો થઇ રહ્યાં હતા તે દરમિયાન થયા છે. જેમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના ફોન ટેપ થયા હતા.
ફોન ટેપિંગનો મામલો સામે આવતા જ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરી આરોપ લગાવ્યો કે તમારો ફોન ટેપ થઇ રહ્યો છે. ઘણા સમય પહેલા ભાજપ સરકારના એક મંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ગેરભાજપી નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યાં છે.
आपके फोन टैप हो रहे है..
ये जानकारी मुझे भाजपा एक वरिष्ठ मंत्रीने भी दे रखी थी. मैने कहां था..भाई साहेब..मेरी बात अगर कोई सुनना चाहता है. तो स्वागत है..मै बाळासाहेब ठाकरेजी का चेला हूं. कोई बात या काम छुप छुपकर नही करता..सुनो मेरी बात.. pic.twitter.com/zLrWajLC6d
ત્યારે મેં તેમને કહ્યું હતું કે જે પણ મારી વાતચીત સાંભળવા માગે છે તે સાંભળે. હું બાળા સાહેબ ઠાકરેનો ચેલો છું. હું કંઇ પણ છૂપાવીને નથી કરતો. ત્યારે આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે ફોન ટેપિંગને લઇ તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે જો ફોન ટૈપિંગની વાત સાચી છે તો આ સરકારી મશીનરીનો દુરુપયોગ છે.
મહારાષ્ટરના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર પોલિસના સાયબર સેલને આ અંગેની તપાસ માટે જણાવામાં આવ્યું છે. ગત સરકારના કાર્યકાળ દરમિયાન જે કોઇના પણ ફોન ટેપ થયા હશે તે બધા મામલે તપાસ કરવામાં આવશે.
ગૃહમંત્રી દ્વારા જણાવામાં આવ્યું કે તેમાં કોઇપણ શંકા નથી કે ગત સરકાર દરમિયાન વિપક્ષના નેતાઓના ફોન ટેપ માટે વ્યવસ્થાનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે આ દરમિયાન મુંબઇ સાયબર સેલને અભ્યાસ માટે ઇઝરાયલ મોકલવામાં આવ્યાં હતા.