મહારાષ્ટ્ર સરકાર નાઈટ કર્ફ્યૂ જેવું પગલુ ભરી શકે છે. સરકાર સાંજના 5 વાગ્યાથી સવારના 5 સુધી પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે
સ્વાસ્થ્ય જાણકારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો
સાંજના 5 વાગ્યાથી સવારના 5 સુધી પ્રતિબંધ લગાવવા પર વિચાર
નિયમ ભંગ કરનાર પર 1 લાખનો દંડ લગાવી શકાય છે
સરકાર સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્ય દરમિયાન પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે
મહારાષ્ટ્રમાં સરકાર કોરોના વાયરસને પગલે મોટો નિર્ણય લઈ શકે છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો રાજ્યમાં કોરોના વધે છે તો 12 કલાકનો નાઈટ કર્ફ્યુ લગાવી શકે છે. આ જાણકારી મંત્રી વિજય વડેટ્ટીવારે શનિવારે આપી હતી. તેમણે જણવાયું હતુ કે આ કર્ફ્યુ દરમિયાન લગ્ન હોલ, બજાર સિનેમા હોલ જેવી ભીડ વાળી જગ્યા સંપૂર્ણ બંધ કરશે. સરકાર સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્ય દરમિયાન પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે.
નિયમ ભંગ કરનાર પર 1 લાખનો દંડ લગાવી શકાય છે
મહારાષ્ટ્રમાં કોવિડ સ્થિતિ બગડી છે. નાઈટ કર્ફયૂને લઈને આવનારા અઠવાડિયે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે બેઠક થવાની છે. આ બાદ સરકાર આ કર્ફ્યૂ પર મોટો નિર્ણય લઈ શકે છે. પ્રતિબંધો ઉપરાંત સરકાર આના પર દંડને લઈને મોટી કાર્યવાહી કરી શકે છે. જો કોઈ લગ્ન હોલ કોવિડ નિયમોનો ભંગ કરી 50થી વધારે લોકોને ભેગા થવાની પરવાનગી આપે છે તો તેમના પર 1 લાખનો દંડ લગાવી શકાય છે.
સરકાર નાઈટ કર્ફ્યૂ જેવું પગલુ ભરી શકે છે
અંગ્રેજી અખબારે વિજય વડેટ્ટીવારના હવાલાથી જણાવ્યું કે સમગ્ર વિદર્ભ વિસ્તારમાં કેસ વધ્યા છે. નાગપુરમાં શુક્રવારે 750થી વધારે કેસ આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર પહેલા જ અમરાવતી, વર્ઘા અને યવતમાલામાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી ચૂકી છે. વડેટ્ટીવારે કહ્યુ કે જો નવા મામલા વધે છે તો સરકાર નાઈટ કર્ફ્યૂ જેવું પગલુ ભરી શકે છે. અમે કલેક્ટર અને મ્યૂનિસિપલ કમિશ્નર સહિત જિલ્લા પ્રશાસનને એ વિસ્તારોની સ્થિતિ જોઈને લોકડાઉન પર અંતિમ નિર્ણય લેવા માટે કહ્યું છે.
સ્વાસ્થ્ય જાણકારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો
મંત્રીએ કહ્યું કે મોટા ભાગના લોકો બેદરકાર થઈ ગયા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાવવા જેવા કોવિડ 19ના નિયમોનું પાલન નથી કરી રહ્યા. જેના કારણે મામલા વધ્યા છે. તેમણે શાકમાર્કેટને લઈને કહ્યું કે અમે એવી જગ્યાઓને સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પ્રતિબંધોની સાથે ખોલવા પર વિચાર કરી રહ્યા છીએ. જો કે સ્વાસ્થ્ય જાણકારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. કોવિડ નિયંત્રણને લઈને રાજ્ય સરકારના સલાહકાર ડો. સુભાષ સાલુંકેએ કહ્યું કેસ કેટલાક વિસ્તારમાં જ વધી રહ્યા છે. તમામ વિસ્તારો અસરગ્રસ્ત નથી.