મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને NCP પ્રમુખ શરદ પવારે હોબાળો મચાવ્યો છે. દિલ્હીમાં સોનિયા ગાંધીની સાથે બેઠક કરવા પહોંચેલા શરદ પવારે કહ્યું કે ભાજપ - શિવસેનાને પૂછવામાં આવે કે મહારાષ્ટ્રમાં સરકાર કેવી રીતે બનશે. અમે કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડી હતી માટે આજે બેઠક કરવા જઈ રહ્યા છીએ.
મહારાષ્ટ્ર માટે પવારની 'પાવર ગેમ'
મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈને અવઢવ
ભાજપ અને શિવસેના જણાવે કેવી રીતે બનશે સરકાર
મહારાષ્ટ્ર સંકટ ચાલી રહ્યું છે ત્યારે પવારના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર ગઠબંધન પરસ સંશયના વાદળ ઘેરા બન્યા છે. શિવસેનાએ માન્યુ છે કે રાજ્યમાં ગઠબંધનની વચ્ચે વિચારધારા રોડારૂપ બની રહી છે.
કોંગ્રેસ - એનસીપીની બેઠકમાં સરકારના ગઠબંધનને લઈને સર્જાઈ શકે છે પ્રશ્નો
મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઈને સંશયના વાદળ બન્યા છે ત્યારે કોંગેસ- એનસીપીની બેઠકમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. શિવસેનાને સમર્થન આપવાની ઘોષણા પર અંર્તવિરોધ કોંગ્રેસ અને એનસીપીથી અલગ વિચારધારા પર ચાલી રહ્યા છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે બેઠક કરશે. ત્યારબાદ જ મહારાષ્ટ્રની રાજનીતિને લઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. આ બેઠક પાંચ વાગે થવા જઈ રહી છે તેમાં સામેલ થવા શરદ પવાર દિલ્હી પહોંચી ચૂક્યા છે.
સંમતિ પત્ર થઈ ચૂક્યો છે તૈયાર
મળતી માહિતી અનુસાર પવાર અને સોનિયાની વચ્ચેની બેઠકમાં રાજ્યમાં નવી સરકાર બનવાને માટે અંતિમ મહોર લાગી શકે છે. ચર્ચા છે કે 3 પાર્ટીઓની શિવસેના-એનસીપી અને કોંગ્રેસની વચ્ચેના મંત્રાલયોને લઈને ન્યૂનતમ સંમતિ પત્ર પણ તૈયાર થઈ ચૂક્યો છે.
અઠાવલેને આશા, શિવસેના આપશે સાથ
પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે ભાજપથી દૂર થયેલી શિવસેનાના કોંગ્રેસ અને એનસીપી સાથે તાલમેલ જોવા મળશે નહીં. અન્ય તરફ એનડીએના કેટલાક નેતાઓએને શિવસેનાથી પાછા આવવાની આશા છે. આ માટે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વિષે કહ્યું છે કે જો તેઓ મધ્યસ્થતા કરે તો રસ્તો નીકળી શકે છે. આ સાથે અમિત શાહે કહ્યું છે કે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે. સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના સાથે આવશે.