મહારાષ્ટ્રના કોરોના વાયરસના 3,018 નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 19,25,066 થઇ ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકારે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે 31 જાન્યુઆરી 2021 સુધી રાજ્યમાં લૉકડાઉન પ્રતિબંધો વધાર્યા છે.
ઉધ્ધવ સરકારનો મોટો નિર્ણય
કોવિડ-19ને રોકવા 31 જાન્યુઆરી 2021 સુધી લૉકડાઉનના નિયમો વધાર્યા
પહેલેથી જ્યાં મંજૂરી અપાઇ છે તે યથાવત રહેશે
આ સંદર્ભે એક પરિપત્ર 29 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, 'રાજ્યમાં કોવિડ -19 વાયરસ ફેલાવાનો ભય છે. તેથી, વાયરસના ફેલાવાને રોકવા માટે કેટલાક કટોકટીનાં પગલાં અપનાવીને રાજ્યમાં લોકડાઉન 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે.
પહેલેથી જ્યાં મંજૂરી અપાઇ છે તે યથાવત રહેશે
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પહેલેથી જે ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી છે તે યથાવત રહેશે. છેલ્લા કેટલાક મહિનામાં સરકારના કેટલાક લૉકડાઉન પ્રતિબંધોને ઓછા કર્યા છે. ગત મહિને સરકારે પૂજા સ્થળોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. તો રાજ્યમાં 9થી12મા ધોરણ સુધીની ઘણી શાળાઓ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
બ્રિટનથી ત્રણ યાત્રીઓ મુંબઇ પહોંચ્યા હતા
યુકેથી ત્રણ મુસાફરો 25 ડિસેમ્બર પછી મુંબઇ પહોંચ્યા છે ત્યારે સરકારે લોકડાઉન પ્રતિબંધોને એવા સમયે લંબાવી દીધા છે. ત્રણેય કોરોના વાયરસથી સંવેદનશીલ છે. એવું માનવામાં આવે છે કે તેઓ કોવિડ -19 ના નવા તાણથી ચેપ લગાવી શકે છે. તે જ સમયે, ભારતમાં ચેપ લાગતા યુકે વેરિએન્ટ સ્ટ્રેન્સની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે.
દિલ્હીમાં સૌથી વધુ દર્દી
કોરોના વાયરસના નવા સ્ટ્રેનના સૌથી વધુ કેસ દિલ્હીમાં મળી આવ્યા છે. NCDC દિલ્હી લેબમાં 14 સેમ્પલમાંથી 8 નવા સ્ટ્રેન પોઝીટીવ આવ્યા છે. તો બેંગ્લોરમાં પણ સંક્રમિતોની સંખ્યા 7 છે. કોલકાતા અને પુણેમાં એક-એક કેસ સામે આવ્યો છે. CCMB હૈદરાબાદમાં પણ નવા પ્રકારના 2 કેસ સામે આવ્યા છે.
વિદેશોમાં ક્યાં કેટલા દર્દી
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં જ્યાં આટલી આબાદી છે ત્યાં 110 કોરોના દર્દી છે ત્યારે અમેરિકામાં 3 હજાર 964 અને બ્રિટનમાં 3 હજાર 656. જે બાદ ઇટલીમાં 1563, રુસમાં 1373, ફ્રાંસમાં 1304 અને બ્રાઝીલમાં 1189 છે.
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે. ગઇકાલે જ્યાં સૌથી પહેલા છ લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા માહ્યા હતા ત્યારે આજે તે સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. નોંધનીય છે કે યુકેના કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણએ હાહાકાર જોવા મળી રહ્યો છે જે બાદ ઘણા બધા દેશોએ ભારતે પણ યુકેની ફ્લાઇટ પર રોક લગાવી હતી.
પૂણેમાં ઘણા બધા લોકો મળતા જ નથી
નોંધનીય છે કે પૂણેમાં છેલ્લા 15 દિવસમાં યુકેથી પાછા આવેલા 109 લોકોની કોઈ ભાળ જ નથી મળી રહી. ઘણા બધા યાત્રિકો ફોન જ નથી ઉપાડી રહ્યા. જે બાદ હવે પોલીસની મદદ લેવામાં આવી રહી છે. અધિકારીઓ કહી રહ્યા છે કે ઘણા બધા મુંબઈમાં જ લેન્ડ થયા અને તે બાદ બાયરોડ પૂણે આવ્યા છે જેના કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવા સ્ટ્રેઇનને લઈને લોકોને ગભરાવવાની જરૂર નથી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
કોરોના વાયરસની ભારતમાં આધિકારિક એન્ટ્રી થઈ ગઈ છે અને લેટેસ્ટ માહિતી પ્રમાણે તેના હાલમાં 6 કેસ નોંધાયા છે પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે તેને લઈને નિવેદન આપ્યું જેમઆ કહેવાયું છે કે હાલમાં આ નવા સ્ટ્રેઇનને લઈને લોકોને ગભરાવવાની જરૂર નથી.
દેશમાં રસીકરણને લઈને ચાલી રહી છે તૈયારીઓ
મહત્વનું છે કે ભારતમાં હાલમાં વેક્સિનેશનની તૈયારીઓ ખૂબ જ મોટાપાયે ચાલી રહી છે ત્યારે આ નવા સ્ટ્રેઇનને લઈને કેસ સામે આવતા સરકાર તરફથી આ પ્રકારના નિવેદનો સામે આવ્યા હતા. મહત્વનું છે કે હાલમાં દેશમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે અને તેની દૈનિક સરેરાશ ઘટીને હવે 17000 જેટલી રહી ગઈ છે.