સંજય રાઉતે કહ્યું, રાજ્યપાલને કોંગ્રેસ, શિવસેના અને NCP ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપવામાં આવશે
જોકે, સંજય રાઉતે સાથે કહ્યું કે, અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર હાલ કોઇ વાતચીત થઇ નથી. ત્યારે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર આજે સવારે સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઇ છે. બેઠક બાદ કોંગ્રેસનું કહેવું છે કે સરકાર ગઠન પર સંભવત: કાલે નિર્ણય લેવામાં આવી શકે છે.
દિલ્હીમાં મહારાષ્ટ્ર (Maharashtra) કોંગ્રેસ નેતાઓની પણ બેઠક થઇ છે. તેની પહેલા કાલે સાંજે દિલ્હીમાં શરદ પવારના ઘરે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની બેઠક થઇ. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠક બાદ બંને પાર્ટીઓએ સાથે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રમાં ત્રણેય પાર્ટી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવાનું એલાન કરવામાં આવ્યું. આજે પણ કોંગ્રેસ અને એનસીપીની વાતચીત ચાલુ રહેશે.
શિવસેનાએ કહ્યું કે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જે એક ડિસેમ્બર પહેલા પૂર્ણ થઇ જશે. ન્યૂઝ એજન્સી એએનઆઇ મુજબ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે ત્રણેય પાર્ટીઓની મુંબઇમાં બેઠક થશે.
પીટીઆઇની રિપોર્ટ મુજબ, સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન પર અંતિમ નિર્ણય આવનારા બે દિવસમાં લેવામાં આવશે. રાઉતે મીડિયાને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની વચ્ચે આ સપ્તાહે બેઠકની કોઇ યોજના નથી. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP અને શિવસેનાની સરકાર બનવાનું નક્કી મનાઇ રહ્યું છે.