કોરોના વિરૂદ્ધ ચાલેલી જંગ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ઘેરાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગવર્નર ક્વોટાથી MLC બનાવવા મામલા પર લાંબા સમયની ચૂપકી બાદ રાજ્યપાલે ચૂંટણીપંચને ઝડપથી વિધાન પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી યોજવા અપીલ કરી હતી. આપને જણાવી દઇએ કે, ચૂંટણી આયોગે કોરોના સંકટ બાદ આ 9 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે રાજકીય ઘમાસાણ યથાવત
MLC મામલે રાજ્યપાલે ચૂંટણીપંચને વિધાનપરિષદની ચૂંટણી યોજવા કરી અપીલ
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને અનુરોધ કર્યો હતો કે, વહેલીતકે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી 9 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવે. રાજ્યમાં વર્તમાન અનિશ્ચિતતાને સમાપ્ત કરવા માટે વિધાન પરિષદન 9 બેઠકો પર ચૂંટણીનું એલાન કરવામાં આવે જે 24 એપ્રિલથી ખાલી પડી છે.
23 મે પહેલા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટાઇ આવવું જરૂરી છે
રાજ્યપાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે દેશમાં લૉકાડાન વચ્ચે કેટલીક છૂટ અને ઉપાયોની જાહેરાત કરી છે. ત્યારે વિધાન પરિષદની ચૂંટણી કેટલા દિશા નિર્દેશો સાથે થઇ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાનમંડળના કોઇપણ સદનના સભ્ય નથી. તેમણે 23 મે પહેલા પરિષદમાં ચૂંટાઇ આવવું જરૂરી છે.
2 વખત ઉદ્ધવ કેબિનેટમાં પસાર થયો MLC પ્રસ્તાવ
આપને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી ઠાકરેને MLC નામિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે કેબિનેટમાં 2 વખત પ્રસ્તાવ પાસ કર્યો હતો પરંતુ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી લાંબા સમયથી આ મામલે ચૂપ હતા.
ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીને કર્યો હતો ફોન
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન કરીને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ પર વાતચીત કરી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આ મહત્વપૂર્ણ સમયમાં રાજયમાં રાજકીય અસ્થિતરતા યોગ્ય નથી. તેનાથી રાજ્યમાં ખોટો સંદેશ જશે, જેનાથી બચવું જોઇએ. તેના પર પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરેને આશ્વાસન આપ્યું છે કે તેઓ જલ્દી જ આ મામલાને ધ્યાને લેશે.
શું છે સમગ્ર મામલો
ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર, 2019ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે તેઓ વિધાનસભાના કોઇપણ ગૃહના સદસ્ય નહોતા. એવામાં બંધારણની કલમ 164 (4) અનુસાર ઉદ્ધવ ઠાકરેને 6 મહિનામાં રાજ્યના કોઇપણ ગૃહના સદસ્ય હોવું અનિવાર્ય છે. એવામાં ઉદ્ધવ ઠાકરેને પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવી રાખવા માટે 28 મે પહેલા વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે.