મહારાષ્ટ્રનો વિવાદ સતત વધતો જઇ રહ્યો છે. એક તરફ ભાજપ અને શિવસેના એક-બીજા પર અલગ-અલગ પ્રકારના આરોપ લાગી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિને લઇ સૌથી મહત્વના સમાચાર છે. રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે.
રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ
11 નવેમ્બરે રાત્રે 8 વાગે બહુમત સાબિત કરવો પડશે
બહુમત સાબિત કરવા માટે 2 દિવસનો સમય અપાયો
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. ભાજપે 11 નવેમ્બરે રાત્રે 8 વાગે બહુમત સાબિત કરવો પડશે. રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા માટે 2 દિવસનો સમય આપ્યો છે. એટલે કે 48 કલાકમાં બહુમતિ સાબિત કરવી પડશે.
આ પહેલા શિવસેનાએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા બન્ને ગઠબંધન સહયોગિઓએ આગામી કાર્યકાળમાં અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ભાગીદારીનો નિર્ણય લેવાયો હતો.
Maharashtra Governor Bhagat Singh Koshyari has invited the single largest party BJP to form the government pic.twitter.com/VnIXuzjr22
તમને જણાવી દઇએ કે રાજીનામું આપ્યા બાદ શિવસેનાના દાવાનો ફગાવતા ફડણવીસે ભાર આપતા કહ્યું હતું કે મારી હાજરીમાં બન્ને પક્ષો દ્વારા મુખ્યમંત્રી પદને લઇને ભાગીદારીને લઇને કોઇ સમજૂતિ કરવામાં નહોતી આવી.
ફડણવીસે દાવો કર્યો હતો કે તેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકર સાથે વિવાદનો ઉકેલ લાવવા માટે ફોન પર વાત કરવાના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ, 'ઉદ્ધવજીએ મારો ફોન ન ઉઠાવ્યો.'