મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ
શિવસેનાના ધારાસભ્ય બળવો કરી ગુવાહટી પહોંચ્યા
રાજ્યપાલની તબિયત લથડી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યપાલ ભગત સિંહ એચએન રિલાયંસ હોસ્પિટલમાં ભરતી થયા છે. કહેવાય છએ કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મોડી રાતે કોરોનાથી સંક્રમિત આવ્યા હતા. તેમનો રિપોર્ટ ગત રાતે જ આવી ગયો હતો. બીજા બાજૂ જોઈએ તો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરાતુ જાય છે. મહાવિકાસ અઘાડીના ઓઓત્રણ દળ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધનવાળી સરકારમાં શિવસેનાના 35 ધારાસભ્યોએ બળવો કર્યો છે. બળવો કરનારા ધારાસભ્યોના લીડર એકનાથ શિંદે છે.
Maharashtra Governor Bhagat Singh Koshyari admitted to HN Reliance Foundation hospital, Mumbai today for #COVID19 treatment: Sources
આપને જણાવી દઈએ કે, એવી અટકળો ચાલતી હતી કે, આજે એકનાથ શિંદે રાજ્યપાલ કોશ્યારીને મળી શકે છે. જેના માટે તેમણે સમય પણ માગ્યો હતો. જો કે, રાજ્યપાલની ઓફિસ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, હાલમાં મળવા માટે કોઈ સમય માગવામાં આવ્યો નથી. સાથે જ આજે કોઈનું પણ એપ્વોઈંટેમેંટ નથી. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલ પાથલથી સત્તાધારી પાર્ટી શિવસેના માટે મોટુ સંકટ બની ગયુ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે સાથે ગુવાહાટી પહોંચ્યા બાદ દાવો કરવામાં આવ્યો છે કે, શિવસેનાના 40 ધારાસભ્યો ત્યાં હાજર છે.