મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર 2માં સુનાવણી શરૂ થઈ છે. બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના સાંસદ ધારાસભ્યો કોર્ટમાં હાજર છે. સર્વોચ્ચ સુનાવણી પર સૌની નજર ટકી રહી છે. રાજભવનથી કોર્ટ સુધીની મહા ખેંચતાણને લઈને સુપ્રીમે આજે દરેક પક્ષની દલીલો સાંભળી છે. આ સાથે જ તેઓએ નિર્ણય આવતીકાલ સવાર પર મોકૂફ રાખ્યો છે. કોર્ટ મંગળવારે સવારે 10.30 કલાકે નિર્ણય આપશે.
મંગળવારે નિર્ણય આપશે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના કારણે ફડણવીસ સરકારને રાહત મળી છે. કોર્ટ આ કેસમાં આવતી કાલે સવારે 10.30 મિનિટે નિર્ણય આપશે. આજે લગભગ 2 કલાકમાં અનેક દલીલો કરવામાં આવી. જેને લઈને કોર્ટ આવતીકાલે નિર્ણય આપશે. ઉલ્લેખનીય છે કે એનસીપી- કોંગ્રેસ અને શિવસેનાની તરફથી માંગ કરવામાં આવી રહી છે કે 24 કલાકમાં જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.
NCP-Congress-Shiv Sena petition: Supreme Court reserves order for tomorrow 10.30 am. https://t.co/PyKO0WzEJ4
મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટને માટે 14 દિવસનો સમય આપ્યો છે, તેઓએ કહ્યું કે પ્રોટેમ સ્પીકરની પ્રક્રિયા ચાલુ છે પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકર પાસે જ કામ કરાવવા ઈચ્છે છે. મુકુલ રોહતગીએ કહ્યું છે કે આવનારા 7 દિવસમાં ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં. કાલે પણ ફ્લોર ટેસ્ટનો ઓર્ડર આપવામાં ન આવે.
Rohatgi for BJP refers to constitutional provisions, says procedures of assembly like pro-tem speaker cannot be interfered with
કોર્ટમાં જ્યારે દલીલોના પાટા બદલાઈ રહ્યા છે. કોર્ટમાં હવે ફ્લોર ટેસ્ટની સમયાંતરે માંગ થી રહી છે. આ સમયે તુષાર મહેતાએ કહ્યું કે મહાવિકાસ અઘાડીની સૂચિમાં ગરબડ કરવામાં આવી ચે. તેને લઈને સિંઘવીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટથી ખ્યાલ આવશે કે તમે હારશો અને સાથે જ ઊંઘા મોંઢે પડશો. આ સમયે કોર્ટે પૂછ્યું કે તમે શું માંગ રાખી રહ્યા છો. સિંઘવીએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છીએ. જેની પર જસ્ટિસ રમનાએ કહ્યું કે અમને ખબર છે કે અમારે શું આદેશ આપવાનો છે.
NCPની તરફથી સિંઘવીની દલીલ
હવે એનસીપીની તપફથી અભિષેક મનુ સિંઘવી દલીલ રાખી રહ્યા છે. તેઓએ કહ્યું કે જો બંને પક્ષ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે તો રાહ કોની જોવાઈ રહી છે. તેઓએ કહ્યું કે જો કંઈ છૂપાવાઈ રહ્યું છે તો તે ખોટું છે. અજિત પવારની ચિટ્ઠી ખોટી છે. અભિષેક મનુ સિંઘવીની તરફથી ચિટ્ઠીને ફ્રોડ ગણાવવાને લઈને મુકુલ રોહતગી ભડક્યા અને તેઓએ મોટો વિરોધ દેખાડ્યો.
આ સમયે અભિષેક મનુ સિંઘવીએ 48 એનસીપી, 56 શિવસેના અને 44 કોંગ્રેસ ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપવાની વાત કહી હતી. તેને લઈને મુકુલ રોહતગીએ વિરોધ કર્યો અને કહ્યું કે જો તમે આ દાખલ કરશો તો મારે તેમની પાસે જવાબ લેવાનો રહેશે. ત્યારબાદ અભિષેક મનુ સિંઘવીએ ચિટ્ઠી પાછી લઈ લીધી હતી. અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી કે કોર્ટે તરત જ ફ્લોક ટેસ્ટનો આદેશ આપવો જોઈએ. પહેલાં પ્રોટેમ સ્પીકરની નિમણૂંક પણ થવી જોઈએ.
કપિલ સિબ્બલે કોર્ટમા કરી આ દલીલ
સુપ્રીમ કોર્ટમાં હાલમાં ખૂબ જ ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તુષાર મહેતાએ જ્યાં એક આથી ટીમ ગાયબ થવાનો દાવો કર્યો છે તેની પર કપિલ સિબ્બલે કહ્યું છે કે ફક્ત ઘોડેસવાર ભાગ્યો છે. ઘોડો ત્યાંનો ત્યાં જ છે. મુકુલ રોહતગીએ કહ્યું કે ધારાસભ્યોને હોટલમાં બંધ કરી દેવાયા છે. નિર્ણય જલ્દી આપવામાં આવે. તેઓએ કહ્યું કે જો 24 કલાક કે 48 કલાકમાં નિર્ણય આવે તો કોને આપશે. કોર્ટની વ્યવસ્થા સ્પીકર જોશે. કપિલ સિબ્બલે કહ્યું કે 22મીની રાતે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં કોંગ્રેસ અનેસીપી અને શિવસેનાએ સરકાર બનાવવાની વાત કરી હતી. દરેકે કહ્યું કે ઉદ્ધવ સીએમ હશે પણ સવારે 5 વાગે જ ફડણવીસ સીએમ બની ગયા. તેઓએ કહ્યું કે એવી કઈ ઇમરજન્સી હતી કે સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું અને શપથ પણ લેવડાવવામાં આવ્યા. ઈમરજન્સીનો ખુલાસો થવો જોઈએ.
હું જ એનસીપી છું અને હું જ નેતા છુંઃ મનિંદર સિંહ
અજિત પવારની તરફથી પક્ષ રાખી રહેલા છે મનિંદર સિંહે કહ્યું કે હું જ એનસીપી છું અને હું જ નેતા છું. તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલે એ પણ જોવાનું રહેશે કે કોણ સ્થાયી સરકાર આપશે? અજિત પવારના વકીલે કહ્યું કે મેં જે લિસ્ટ આપ્યું હતું તે સાચું છે. જે પણ હોય નિર્ણય આવવો જોઈએ. પછી કે કોર્ટથી આવે કે રાજયપાલ તરફથી આવે.
મુકુલ રોહતગીએ કહી આ વાત
મુકુલ રોહતગીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ ગમે ત્યારે થઈ શકે છે. આ નિર્ણય સ્પીકર પર છે. આજે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે 54 ધારાસભ્યો છે. કાલે હું પણ આ કહી શકું છું. ફ્લોર ટેસ્ટ કરાવવો એ સ્પીકરની જવાબદારી છે તેમાં કોર્ટની શું જવાબદારી? મુકુલ રોહતગીએ કહ્યું કે કોર્ટનો કોઈ પ્રશ્ન નથી. અહીં હોર્સ ટ્રેડિંગનો પ્રશ્ન નથી, આખું ગ્રૂપ અન્ય તરફ ચાલ્યું ગયું છે. જો રાજ્યપાલ કહે છે કે આજે ફ્લોર ટેસ્ટ ન થવો જોઈએ અને તેઓને તેમનું કામ કરવા દેવું જોઈએ. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલમાં આ સ્થિતિ નથી. આ પ્રકારના અનેક કેસ છે જેમાં 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ થયો છે. સોલિસિટર જનરલે તેની પર જવાબ આપ્યો કે આ રાજ્યપાલનો નિર્ણય છે. શું વિધાનસભાનો એજન્ડા અદાલત નક્કી કરશે?
SCએ પૂછ્યું અજિત પવારની તરફથી કોણ છે?
SGએ જણાવ્યું કે બીજેપી પાસે 105 પોતાના, એનસીપીના 54 અને અપક્ષના 11 ધારાસભ્યોનું સમર્થન છે. રાજ્યપાલની પાસે પણ દરેક ધારાસભ્યોનું સમર્થન પત્ર પહોંચ્યું હતું. તેની પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે એ પત્ર ક્યાં છે જેમાં રાજ્યપાલે ફડણવીસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
મુકુલ રોહતગીએ કહ્યું કે પવાર પરિવારમાં શું થઈ રહયું છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી, એક પવાર મારી સાથે અને એક કોર્ટમાં. તેઓ હસ્તાક્ષરને ખોટા ગણાવતા નથી પણ હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અહીં રાજ્યપાલને વિશે કંઈ નહીં કહીએ. આ કેસ અલગ છે. જસ્ટિસ ખન્નાએ આ સમયે કહ્યું કે તમે જૂની વાત કરી રહ્યા છો, અહીં અજિત પવારની તરફથી કોઈ છે કે નહીં તે કહો.
સુપ્રીમ કોર્ટમાં SGએ કહ્યું કે અજિત પવારે પોતાને વિધાયક પક્ષના નેતા ગણાવ્યા પણ તેની પર કોર્ટે ચિટ્ઠીનું ટ્રાસલેશન માંગ્યું. 22 નવેમ્બરની ચિટ્ઠીમાં અજિત પવારે પોતાને CLP ગણાવ્યા અને કહ્યું કે 54 ધારાસભ્યોએ તેમને અધિકાર આપ્યો છે. રાજ્યપાલને ચિટ્ઠી મળી અને સાથે તેઓએ રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ આપ્યો. 23 નવેમ્બરે રાજ્યપાલને દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો. ફડણવીસે રાજ્યપાલને 170 ધારાસભ્યોનું સમર્થન દેખાડ્યું. SGએ કહ્યું કે રાજ્યપાલની પાસે પત્ર આવ્યો હતો અને રાજ્યપાલનું કામ તેની શોધ કરાવવાનું નથી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે સૌથી પહેલાં પત્ર કોનો આવ્યો હતો. તેની પર SGએ કહ્યું કે ફડણવીસે સૌથી પહેલાં પત્ર લખ્યો હતો.
NCP-INC-Shiv Sena petition in SC: Solicitor General Tushar Mehta to Supreme Court - The Governor then wrote to the President and requested for revocation of the President's Rule; Governor in his wisdom invited leader of the largest party. Devendra Fadnavis has support of 170 MLAs
ભાજપના 105 ધારાસભ્યોના સિવાય અજિત પવારે 54 ધારાસભ્યોનું સમર્થન આપ્યું હતું. જેમાં અજિત પવારે પોતાને પણ નેતા ગણાવ્યા હતા. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં ચિઠ્ઠી વાંચીને સંભળાવી. અદાલતમાં બીજેપી, અપક્ષ ધારાસભ્યો અને અજિત પવારના સમર્થન પત્રને વાંચીને સંભળાવ્યો.
સોલિસિટર જનરલે કહ્યું છે કે વિપક્ષની તરફથી હાલ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો નથી, અમારી પાસે રાજ્યપાલના આદેશની કોપી છે. તુષાર મહેતાએ ગર્વનરના સચિવની ચિઠ્ઠી અદાલતને સૌંપી છે, જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષર છે.
સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલના પત્રને રાખ્યો છે. હિંદું મહાસભાની તરફથી વકીલે કહ્યું કે તેઓએ એનસીપી- કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને લઈને અરજી દાખલ કરી છે જેની પર સુનાવણી થવી જોઈએ. પરંતુ સુપ્રીમે કહ્યું કે આ કેસ હાલમાં અલગ છે. સોલિસિટર જનરલે કહ્યું કે શું કોર્ટ ગર્વનરના નિર્ણયને બદલી શકે છે. હવે તુષાર મહેતા અદાલતમાં દલીલ રાખી રહ્યા છે. તેઓએ આ સમયે રાજ્યપાલને મળેલા સંવૈધાનિક અધિકારોને કહ્યું કે બીજેપી અને શિવસેનાના ગઠબંધનની જાણકારી રાજ્યપાલને હતી. તેના સિવાય બીજેપી અને શિવસેનાના હકમાં નિર્ણય બતો.
સોલીસિટર જનરેલ કહ્યું કે રાજ્યપાલની પાસે જે પરિણામ હતા, બીજેપી સૌથી મોટી પાર્ટી હતી અને શિવસેનાની પાસે 56 સીટ હતી. રાજ્યપાલે અનેક દિવસ રાહ જોઈ ત્યારબાદ બીજેપીએ સરકાર બનાવવાને માટે બોલાવ્યા. બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી. ફરી શિવસેનાએ પણ ના પાડી અને સાથે એનસીપીની સાથે પણ આવું થયું.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહ કોર્ટમાં અજિત પવારનો પક્ષ મૂકશે. કોંગ્રેસની તરફથી રણદીપ સુરજેવાલા હાજર રહેશે. કપિલ સિબ્બલ સહિત અનેક મોટા નેતાઓ કોર્ટમાં પહોંચી ચૂક્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શરૂ
સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર 2માં સુનાવણી શરૂ થઈ છે. બીજેપી, કોંગ્રેસ અને એનસીપીના સાંસદ ધારાસભ્યો કોર્ટમાં હાજર છે. દેવેન્દ્ર ફડણવીસની તરફથી મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા છે.
સુનાવણી પહેલાં મુકુલ રોહતગીનું મોટું નિવેદન
સુપ્રીમ કોર્ટમાં બીજેપીનો પક્ષ રાખનારા મુકુલ રોહતગીએ કહ્યું કે આજે રાજ્યપાલનું નિવેદન આવશે. દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારની પાસે જે ધારાસભ્યોનું સમર્થન પત્ર હતું તેને મેં જોયું છે. રાજ્યપાલની તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
M Rohatgi,appearing for #Maharashtra BJP in SC: Today,record of Guv to be placed. I've seen that along with letter of Fadnavis there was a letter by Ajit Pawar as head of legislative party with signatures of all NCP MLAs.Guv was right in granting an invitation to him to form govt pic.twitter.com/8XvYf11twR
મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક. શરદ પવારે કહ્યું કે અમે અઢી વર્ષ માટે CM પદ માગ્યુ હતું.
રાજભવન પહોંચ્યા નેતા
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં જ અશોક ચૌહાણ, જયંત પાટીલ, એકનાથ શિંદે અને બાલાસાહેબ થોરાટ રાજભવન પહોંચ્યા છે. દરેક નેતા રાજભવનમાં ધારાસભ્યોને સમર્થન પત્ર સોંપશે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી શકે છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય નક્કી કરશે કે મહારાષ્ટ્રની નવી ભારતીય જનતા પાર્ટી સરકારનું ભવિષ્ય શું હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારે વિચાર્યું પણ નહીં હોય કે સત્તા મળ્યાના 24 કલાકમાં સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી જશે. એનસીપી- શિવસેના અને કોંગ્રેસ પાર્ટીએ એક સાથે મળીને રવિવારે પણ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને અનેક પ્રશ્નો પર સુનાવણી થઈ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે સવારે 10.30 મિનિટે સુનાવણી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
સમર્થન પત્રો રજૂ કરવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દાવપેચની સાથે સુપ્રીમ કોર્ટે રવિવારે સુનાવણીમાં કહ્યું કે રાજ્યમાં સરકાર બનાવવાને લઈને જાવો રજૂ કરવાને માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સમર્થન પત્રોને કોર્ટમાં રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં આદેશ પસાર કરતાંની સાથે સરકારને આજે સવારે સમર્થન પત્ર કોર્ટમાં રજૂ કરવાનું કહેવાયું છે.
આ જજ આપશે અરજી પર નિર્ણય
જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષા વાળી ખંડપીઠે કહ્યું કે રાજ્યમાં સરકાર બનાવવાને લઈને ફડણવીસને આમંત્રિત કરવાના રાજ્યપાલના આદેશની તપાસ કરવામાં આવે અને ત્વરિત બહુમત સિદ્ધ કરનારી શિવસેના, કોગ્રેસ અને એનસીપીની અરજી પર નિર્ણય અપાશે.
ફ્લોર ટેસ્ટનો આદેશ જાહેર થાય તેવી શક્યતા
ભાજપના કેટલાક ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ મુકુલ રોહતગીએ ખંડપીઠ સામે કહ્યું કે અરજીકર્તા 19 દિવસોથી સૂતા હતા અને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી આવી તો આજે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાની તરફથી કપિલ સિબ્બલ છે તો કોંગ્રેસની તરફથી અભિષેક મનુ સિંઘવી.બીજેપીના કેટલાક નેતાઓની તરફથી દાલ કરાયેલી અરજીને લઈને મુકુલ રોહતગી અને કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.
દરેક પક્ષકારોને સુપ્રીમ કોર્ટથી મળી નોટિસ
સુપ્રીમ કોર્ટને 3 જજની ટીમે સૌની દલીલો સાંભળ્યા બાદ દરેક પક્ષની સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારને પણ નોટિસ મોકલી હતી. કોર્ટે રાજ્યપાલના આદેશ અને દેવેન્દ્ર ફડણવીસની તરફથી આપવામાં આવેલા સમર્થન પત્રને પણ સુનાવણી સમયે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બીજેપીનો દાવો- સરકાર પર સંકટ નથી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમયે કોંગ્રેસ અને એનસીપીની તરફથી રાજ્યપાલના નિર્ણય, રાષ્ટ્રપતિ શાસન હટાવવાની પ્રક્રિયા અને ફ્લોર ટેસ્ટની તારીખ ન આપવાના કારણે પણ પ્રશ્નો ઊઠ્યા છે. કોંગ્રેસે બહુમત સાબિત કરવાને લઈને પ્રશ્નો કર્યા તો બીજેપીએ દાવો કર્યો કે ફડણવીસની સરકાર પર કોઈ સંકટ નથી.