મહારાષ્ટ્રની રાજનીતિના ચતુર ખેલાડી ગણાતા શરદ પવાર સરકાર બનાવવા માટે બેટિંગ કરી રહેલ શિવસેનાને પોતાની ગુગલીથી ચિત કરી શકે છે. એનસીપી, કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના યોજના પાળી રહેલ શિવસેનાની ચિંતા શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ વધુ વધારી છે. બીજી તરફ પ્રધાનમંત્રીએ સંસદમાં એનસીપીના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.
શિવસેના સાથે ડબલ ગેમ રમી રહ્યા છે શરદ પવાર!
PMએ NCPના વખાણ કરી આપ્યો મોટો સંકેત
આઠવલેના ફૉર્મ્યુલા પર પણ અંદાજ, પરત આવશે શિવસેના?
કહેવામા આવી રહ્યું હતું કે સોનિયા સાથે પવાર મુલાકાત બાદ સરકારનો રસ્તો સાફ થશે, પરંતુ જ્યારે તેઓ મીટિંગથી પરત ફર્યા તો એમ કહીને સસ્પેન્સ વધારી દીધું કે અમારો શિવસેના સાથે કોઇ કૉમન મિનિમમ પ્રોગ્રામ નક્કી નથી થયો. એટલું જ નહીં શિવસેનાને સરકાર બનાવવા માટે કોઇ ભરોસો આપવાની વાતથી પણ તેમણે ઇનકાર કર્યો. તેની થોડી વાર બાદ જ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત શરદ પવારને દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત માટે પહોંચ્યા હતા.
શિવસેના સાથે ડબલ ગેમ રમી રહ્યા છે શરદ પવાર!
તેમના નિવેદન બાદથી ફરી એક વારથી રાજ્યમાં નવા સમીકરણોને લઇને ચર્ચા થઇ રહી છે. રાજકીય વર્તુળોમાં એનસીપીની ડબલ ગેમની ચર્ચા થવા લાગી છે. મતલબ એક તરફ શરદ પવાર શિવસેના અને કોંગ્રેસની સાથે સરકાર બનાવવાને લઇને કંઇ પણ સ્પષ્ટરીતે કહેવાથી બચી રહ્યા છે. બીજી તરફ નરેન્દ્ર મોદી તરફથી સંસદમાં એનસીપીના વખાણ કરાતા તેના ભાજપ તરફ જવાની પણ ચર્ચા છે.
આઠવલેના ફૉર્મ્યુલા પર પણ અંદાજ, પરત આવશે શિવસેના?
આ સિવાય એનડીએના સહયોગી આરપીઆઈના નેતા રામદાસ આઠવલેના ફૉર્મ્યુલાને લઇને પણ હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ફરી એકવાર ભાજપની સાથે આવી શકે છે. ભલે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયો છે, પરંતુ જે પણ જવાબ હશે, તેમાં કેન્દ્રમાં શરદ પવાર જરૂર હોઇ શકે છે.
PMએ NCPના વખાણ કરી આપ્યો મોટો સંકેત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુબ જ છાની રીતે અને સંકેતો દ્વારા મોટી વાત કહેવામાં જાણીતા છે. સોમવારે પણ રાજ્યસભાના 250માં સત્રમાં પહેલા દિવસે તેમણે એનસીપીને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા વખાણ કર્યા અને કહ્યું કે તેમના સાંસદ ક્યારેય વેલમાં નથી આવતા. વાત તો તેમણે રાજ્યસભામાં એનસીપીના વ્યવહારને લઇને કહી, પરંતુ તેના અર્થ દૂર સુધી શોધવામાં આવી રહ્યા છે. જોકે પવારે શિવસેનાના રાઉત સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કહ્યું કે, ત્યાં પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાનાં ઇતિહાસની વાત કરી અને તેના કામકાજને લઇને ચર્ચા હતી. અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં નથી જતા, માત્ર તેને લઇને તેમણે પ્રશંસા કરી.
શું અસર કરશે BJPનું શિવસેના પર દબાણ?
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ એમ કહીને એક પ્રકારે શિવસેના પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ પણ એનસીપીના સંપર્કમાં છે. રાજકીય વિશ્લેષકોંના જણાવ્યા અનુસાર એવું કહીને પીએમ મોદીએ શિવસેનાને એ સંકેત આપવાના પ્રયત્નો કર્યા છે કે જો તે હજુ ઇચ્છે તો પરત ફરી શકે છે નહીંતર એનસીપી પણ અમારા માટે વિકલ્પ હોઇ શકે છે. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે, જોકે આને લઇને કંઇ પણ કહી ન શકાય.