મહારાષ્ટ્ર સરકારે નાઈટ કર્ફ્યૂની વચ્ચે રાતના 8 પછી પણ આઈપીએલ ટીમોને પ્રેક્ટિસની મંજૂરી આપી દીધી છે.
આઈપીએલના ખેલાડીઓને રાતના આઠ પછી પ્રેક્ટિસ કરી શકશે
હોટલથી મેદાન સુધી આવી શકશે
મુંબઈમાં રાતના આઠ પછી કર્ફ્યુ
કર્ફ્યુની વચ્ચે ઠાકરે સરકારે આઈપીએલ ટીમોને પ્રેક્ટિસની આપી મંજૂરી
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોનાગ્રસ્ત મુંબઈમાં આઈપીએલની મેચોની મંજૂરી માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. મુંબઈમાં હાલમાં રાતના 8 પછી નાઈટ કર્ફ્યુ અમલી છે તેમ છતાં પણ સરકારે આઈપીએલના ખેલાડીઓને રાતના આઠ પછી પ્રેક્ટિસની તથા તેમને હોટલ સુધી પરત જવાની મંજૂરી આપી છે.
9 એપ્રિલથી ચેન્નઈમાં આઈપીએલની શરુઆત થશે. મુંબઈમાં 10 મેચો રમાવાની છે. 10 એપ્રિલે પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાનાર છે. જોકે ખેલાડીઓએ જૈવ સુરક્ષિત વાતાવરણનું કડક પાલન કરવું પડશે.
ખેલાડીઓ રાતના 8 પછી પ્રેક્ટિસ કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા જારી લેટરમાં કહેવાયું કે રાતના 8 પછી મેદાનની અંદર પ્રેક્ટિસ માટે આઈપીએલ સ્ટાફ અને ટીમ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી અને તે પ્રમાણે જૈવ સુરક્ષિત વાતાવરણના કડક નિયમોને અધીન રહીને ખેલાડીઓને હોટલથી મેદાન સુધીની મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાથી સામે આવ્યા રેકોર્ડબ્રેક કેસો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1 લાખથી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે, જે પહેલીવાર થયું છે, આની પહેલા એક દિવસમાં સૌથી વધુ કેસ છેલ્લે સપ્ટેમ્બર 2020માં આવ્યા હતા, જ્યારે 97 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જો કે આની સાથે જ દેશની માયાનગરી ગણાતા મુંબઈમાં પણ કોરોના દિનપ્રતિદિન વધુને વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, આજે પણ અહીં 9857 કેસ સામે આવ્યા હતા. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 9857 નવા કેસ નોંધાયા હતા અને 21 લોકોના મોત નિપજ્યાં હતા, આખા રાજ્યની વાત કરીએ તો કાલે અહીં રેકોર્ડબ્રેક 57 હજારથી પણ વધુ કેસો નોંધાયા હતા. જો કે સાથે જ મુંબઇમાં આજે 3357 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા. મહત્વનું છે કે અહીં કેસોનો ડબલિંગ રેટ હવે 40 દિવસનો થઈ ગયો છે.
કોરોનાના વધતાં કેસોની સાથે જ્યાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં કેસો વધી રહ્યા છે, જેની સાથે જ મુંબઈમાં પણ કેસો વધી રહ્યા છે. આજે પણ મુંબઈમાં 10 હજાર જેટલા જ કેસો આવ્યા હતા.