તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ફરી એકવાર હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાના માપદંડોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે હવાઈ યાત્રા કરવા માટે ગાઈડ લાઈન જાહેર કરી
કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યાં
મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે
ટેકઓફ પહેલા આ કામ કરવાનું રહેશે
મહારાષ્ટ્ર સરકારે હવાઈ મુસાફરી માટેના નિયમો વધુ કડક કર્યા
તમિલનાડુમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ફરી એકવાર હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાના માપદંડોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોતથી આખો દેશ આઘાતમાં છે. આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે આવી સરકારી હવાઈ મુસાફરી પહેલા સુરક્ષાના ધોરણોને વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારે હવાઈ મુસાફરી કરવા માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી
મહારાષ્ટ્ર સરકારે હેલિકોપ્ટર મુસાફરી એટલે કે, હેલિકોપ્ટર દ્વારા હવાઈ મુસાફરીને લઈને નવા નિયમો અને કાયદા બનાવ્યા છે. નવી ગાઈડલાઈન મુજબ જ્યાં પણ હેલિકોપ્ટરને લેન્ડ કરવાનું રહેશે . એટલે કે, સમગ્ર વિસ્તારના હવામાન અંગેની પૂરી માહિતી એકત્રિત કરવામાં આવશે.વર્તમાન નિયમોની વાત કરીએ તો એ હેલિકોપ્ટરમાં ડબલ એન્જિન છે કે, નહી તેની તપાસ કરવામાં આવશે. બીજી બાજુ હેલિકોપ્ટરમાં પાયલોટની સાથે કો-પાયલોટ છે કે,નહીં તેના વિશે પણ જાણકારી રાખવામાં આવશે હવે મહારાષ્ટ્રમાં એમવીએના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યા બાદ યાત્રા પર સંભવ થશે.
તમિલનાડુના નીલગિરિસ જિલ્લાના કુન્નૂર વિસ્તારમાં ક્રેશ થયું હતું,
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના નીલગિરિસ જિલ્લાના કુન્નૂર વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં દેશ તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 અન્ય સૈનિકોને ગુમાવ્યા હતાં. CDS જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ જઈ રહ્યાં હતાં. જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધવાના હતાં.
બેંગ્લોરમાં થશે ગૃપ કેપ્ટન વરુણની સારવાર
આ દરમિયાન હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહને બેંગ્લોર ખસેડવામાં આવી રહ્યો છે. જ્યાં તેને હવે મિલિટરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવાશે. તેના પિતાએ આ માહિતી આપી છે. માત્ર ગૃપ કેપ્ટન વરુણ સિંહએ અકસ્માતમાં બચી ગયાં જેમાં CDS જનરલ બિપિન રાવતનું ગઈકાલે મૃત્યુ થયું હતું