આજે મહારાષ્ટ્ર સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. મુંબઈના શિવાજી પાર્કમાં શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્વવ ઠાકરે CM પદના શપથ લીધા છે. શિવસેનાના સુભાષ દેસાઇ અને એકનાથ શિંદેએ શપથ લીધા. તેમજ NCPમાંથી છગન ભુજબલ અને જયંત પાટિલ પણ શપથ લીધા. જ્યારે કોંગ્રેસમાંથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ મંત્રી પદના શપથ લીધા છે.
ઉદ્ધવના માથે 'રાજતિલક'
મહારાષ્ટ્રમાં હવે ઠાકરે રાજ
NCP-શિવસેના-કોંગ્રેસના 2-2 મંત્રીઓએ લીધા શપથ
NCP-કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનની સરકારમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં નવી સરકારના શપથ ગ્રહણ યોજાઇ રહ્યા છે, જેમાં સામેલ થવા માટે ત્રણેય દળોના તમામ મોટા નેતા હાજર રહ્યા છે.
મહારાષ્ટ્રમાં હવે ઠાકરે રાજ
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ઠાકરેએ શિવાજી મહારાજને નમન કરતા મરાઠી ભાષામાં શપથ લીધા છે. ઠાકરે પરિવારથી તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે. ઉદ્ધવ બાદ કેબિનટના અન્ય મંત્રીઓને શપથ અપાવવામાં આવી રહી છે.
6 મંત્રીઓએ લીધા શપથ
ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના એકનાથ શિંદે, સુભાષ દેસાઇને મંત્રી પદના શપથ અપાવ્યા છે. ત્યાર બાદ એનસીપી કોટાથી ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ અને છગન ભુજબળને શપથ અપાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કોટાથી બાલા સાહેબ થોરાટને શપથ અપાવ્યા છે. થોરાટ મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી વરિષ્ઠ નેતામાંથી એક છે અને રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ છે. કોંગ્રેસના નિતિન રાઉતને પણ મંત્રી પદના શપથ અપાવ્યા છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પક્ષના 2-2 મંત્રીઓને શપથ અપાવ્યા છે.
PM મોદીએ મહારાષ્ટ્રના નવ નિયૂક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેજીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન,
મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.
Congratulations to Uddhav Thackeray Ji on taking oath as the CM of Maharashtra. I am confident he will work diligently for the bright future of Maharashtra. @OfficeofUT
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી શિવાજી પાર્ક પહોંચી ચૂક્યા છે, ઉદ્ધવ ઠાકરેના પત્નિ રશ્મી દેસાઇ ઠાકરે હાજર રહ્યા છે. મહત્વનું છે કે, અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાાણી પણ મંચ પર હાજર રહ્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, ડીએમકે કે સ્ટાલિન, ટીઆર બાલૂ, કપિલ સિબ્બલ, અહેમદ પટેલ, મનસે રાજ ઠાકરે હાજર રહ્યા છે.
Mumbai: MNS Chief Raj Thackeray arrives at oath ceremony of CM designate Uddhav Thackeray and other Maha Vikas Aghadi leaders. #Maharashtrapic.twitter.com/U3vonxZCmZ
શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણમાં સામેલ થવા માટે એનસીપી નેતા અજિત પવાર પહોંચી ચૂક્યા છે. આ સિવાય સંજય રાઉત, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ સમારોહ સ્થળે પહોંચી ચૂક્યા છે. હવે થોડી વારમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઇ જશે.
અજિત પવારે કહ્યું- આજે નહીં લઉં શપથ
અજિત પવારનો નવી સરકારમાં શું રોલ હશે? શું તેમને ફરીથી ડે.સીએમનું પદ આપવામાં આવશે કે તેમના માટે કોઇ બીજુ મહત્વનું પદ આપવામાં આવશે. આ મામલે જ્યારે મીડિયાએ તેમને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે તેઓ આજે શપથ નથી લેવાના.
મહત્વનું છે કે, અજીત પવાર DyCM પદની રેસમાં છે. ત્યારે અજીત પવાર અને શરદ પવાર વચ્ચેની બેઠક યોજાઇ હતી. તેમણે કહ્યું હતું કે, આજે હું શપથ નથી લેવાનો. જોકે અજીત પવાર અંગે શરદ પવાર નિર્ણય લેશે.
ગાંધી પરિવાર શપથગ્રહણમાં હાજર નહીં
બુધવારે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમને આજના શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ પાઠવ્યુ હતું. મહત્વના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે શપથગ્રહણ સમારોહમાં ગાંધી પરિવાર હાજર રહેશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, શપથગ્રહણમાં આમંત્રણ માટે આભાર. તેમણે હાજર રહેવા પર અસમર્થતા દર્શાવી છે. CM પદના શપથ માટે ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા. મહત્વનું છે કે, સોનિયા ગાંધી પણ શપથગ્રહણ સમારોહમાં નહીં જાય. સોનિયા ગાંધીએ કહ્યું કે, ત્રણેય પક્ષ જનતાના ભલા માટે કામ કરશે.
શપથગ્રહણ પહેલાં જ ઉદ્ધવ સરકારનો માસ્ટર સ્ટ્રોક
શિવસેના, NCP અને કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર કેટલીક જાહેરાતો કરી છે. આ કાર્યક્રમમાં સરકારના કામકામ વિશે માહિતી આપી છે. જે હેઠળ ત્રણેય દળ ખેડૂત, રોજગાર, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, મહિલાઓ, શિક્ષા, ગ્રામિણ વિકાસ જેવા મુદ્દાઓ પર પ્રાથમિકતાની સાથે કામ કરશે.
એક રૂપિયામાં સારવાર, ખેડૂતોની દેવામાફી
ઉદ્ધવ સરકારે ખેડૂતો માટે નવી પાક વીમા યોજના લાવશે, સાથે જ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનું કામ કરવામાં આવશે. સરકારના CMPમાં સરકારી વિભાગોના તમામ પદ ભરવામાં આવશે. રાજ્યના તમામ લોકોને એક રૂપિયામાં સારવાર આપવાનો વાયદો પણ સરકારના એજન્ડામાં સામેલ છે. દુષ્કાળ પીડિત ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. સીએમપીમાં સેકુલર શબ્દ પર પણ જોર આપવામાં આવ્યું છે જેને લઇને ઘણી ચર્ચા કરવામાં આવી હતી.
'દેશનો સૌથી પહેલા'નો એજન્ડા નક્કી
ઉદ્ધવ સરકારના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર દેશ સૌથી પહેલાના નારે પર આગળ વધશે. સાથે આ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે સમાજના કોઇ પણ ખુણે ભય ન રહે. પ્રોગ્રામ હેઠળ ગરીબોને વગર વ્યાજે શિક્ષણ લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના તમામ સમુદાઓના કલ્યાણની વાત આ પ્રોગ્રામમાં કહેવામાં આવી છે. સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના નિર્દેશનમાં ત્રણેય દળોએ આ કૉમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. એકનાથ શિંદેએ કાર્યક્રમનું એલાન કરતા કહ્યું કે સરકાર તમામ ધર્મોને સાથે લઇને ચાલશે અને રાજ્યને વિકાસના પથ પર લઇ જશે.
કોમન મિનિમમ પ્રોગ્રામમાં શું છે ?
શહેરી વિસ્તારમાં રસ્તાઓ માટે યોજના
ગરીબ બાળકોને મફત શિક્ષણ
ગરીબોને વગર વ્યાજે શૈક્ષણિક લોન
ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓને 500 ચોરસ વર્ગ જમીન
રૂ.1માં તમામ નાગરિકોને સારવાર
દરેક નાગરિકને સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ
કોમન મિનિમમ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને જલ્દી રાહત
સરકારી વિભાગોમાં ખાલી પદ જલ્દી ભરાશે
તમામ નાગરિકોને મળશે સ્વાસ્થ્ય વીમા યોજના
મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવુ માફ કરાશે
મહિલાઓની સુરક્ષા માટે ખાસ યોજના
ખેડૂતો માટે નવી ફસલ યોજના
ધર્મનિરપેક્ષતા પર મૂકાશે ભાર
રાજ્યના લોકોને નોકરીમાં 80 ટકા અનામત આપવાને લઇને કાયદો લાવવામાં આવશે
નૈનાર રિફાઇનરી પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દે ચર્ચા થશે
નવી કંપનીઓમાં સ્થાનિક લોકોને 80 ટકા અનામત આપવા સંબંધી કાયદો લાવવામાં આવશે