એનસીપી નેતા અજિત પવારે બુધવારે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં બની રહેશે અને તેઓને મંત્રિમંડળમાં શામેલ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે લેશે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ગત સપ્તાહે ભાજપને સમર્થન આપનારા અજિત પવારે કહ્યું કે તેઓના એનસીપી ( NCP ) માં બની રહેવા વિશે 'ભ્રમ પેદા કરવાનું' કોઇ કારણ નથી.
એનસીપી નેતા અજિત પવારે બુધવારે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં બની રહેશે
રોહિત પવારે કહ્યું, પવાર પરિવાર 'એકજુટ છે અને હંમેશા રહેશે'
અજિત પવારે વિધાન ભવન પરિસરમાં કહ્યું કે, ' હાલ મારી પાસે કહેવા માટે કંઇજ નથી, હું યોગ્ય સમય આવવા પર બોલીશ. મેં પહેલા પણ કહ્યું હતું કે હું એનસીપીમાં છું અને એનસીપીમાં જ રહીશ. ભ્રમ પેદા કરવાનું કોઇ કારણ નથી.'
તેઓએ કહ્યું કે, 'મંત્રિમંડળમાં મને સામેલ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ લેવાનો છે.' અજિત પવારે કહ્યું કે, 'હું કોઇથી પણ નારાજ નથી. મારી પાર્ટી મને જે જવાબદારી આપશે, હું તેનો સ્વીકાર કરીશ.'
ત્યારે એનસીપી ધારાસભ્ય રોહિત પવારે બુધવારે કહ્યું કે તેઓને વિશ્વાસ હતો કે તેઓના કાકા અજિત પવાર પાર્ટીમાં પાછા ફરશે અને તેઓને ખુશી છે કે અજિત પવારે પાર્ટી પ્રમુખ શરદ પવારની મુલાકાત લીધી. તેઓએ એમ પણ કહ્યું કે પવાર પરિવાર 'એકજુટ છે અને હંમેશા રહેશે'.
પૂણેની બારામતી બેઠક પરથી 1.65 લાખ મતોના અંતરથી વિધાનસભા ચૂંટણી જીતનારા એનસીપી ધારાસભ્યે પોતાની પાર્ટી અને પરિવારને ગત શનિવારે એ સમયે ઝટકો આપ્યો, જ્યારે તેઓએ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ વાળી સરકારમાં ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, અજિત પવારે મંગળવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.