મહારાષ્ટ્ર સરકારે‘મારુ ગામ કોરોના મુક્ત’પહેલની જાહેરાત કરી છે જીતનારને 50 લાખ આપવામાં આવશે.
‘મારુ ગામ કોરોના મુક્ત’ પહેલની જાહેરાત કરી
પ્રથમ પુરસ્કાર હેઠળ 50 લાખ રુપિયા આપવામાં આવશે
સારા કામ કરનારી 3 ગામ પંચાયતોને ઈનામ આપવામાં આવશે
‘મારુ ગામ કોરોના મુક્ત’ પહેલની જાહેરાત કરી
મહારાષ્ટ્ર સરકારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ફેલાતો અટકાવવાના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવાના હેતુથી બુધવારે કોરોના મુક્ત ગામ સ્પર્ધાની જાહેરાત કરી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંક્રમણને અટકાવવા માટે કેટલાક ગામો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના હાલામાં જ વખાણ કર્યા અને ‘મારુ ગામ કોરોના મુક્ત’ પહેલની જાહેરાત કરી હતી. રાજ્યોએ ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરિફે એક નિવેદનમાં કહ્યુ કે કોરોના મુક્ત ગામ સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલનો ભાગ છે.
સારા કામ કરનારી 3 ગામ પંચાયતોને ઈનામ આપવામાં આવશે
આ સ્પર્ધા અંતર્ગત પ્રત્યેક રાજસ્વ મંડળનમાં કોવિડ 19ને પહોંચી વળવા માટે સારા કામ કરનારી 3 ગામ પંચાયતોને ઈનામ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે પ્રથમ પુરસ્કાર હેઠળ 50 લાખ રુપિયા આપવામાં આવશે. બીજા વિજેતાને 25 લાખ અને ત્રીજા વિજેતાને 15 લાખ રુપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં 6 રાજસ્વ મંડળ છે એટલે કુલ 18 ઈનામ રહેશે. આ ઈનામની કુલ રકમ 5.4 કરોડ રુપિયા છે.
ગામોને 22 માપદંડો પર રાખવામાં આવ્યા છે
મંત્રીએ જણાવ્યું કે સ્પર્ધા જીતનારા ગામોને પ્રોત્સાહિત કરવા માટે ઈનામની રકમ જેટલી જ વધારાની ધનરાશી આપવામાં આવશે અને તેનો ઉપયોગ ગામના વિકાસના કામોમાં કરી શકાશે. તેમણે જણાવ્યુ કે સ્પર્ધામાં ભાગ લેનારા ગામોને 22 માપદંડોથી તપાસવામાં આવશે. આનો નિર્ણય કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે.
સૌથી યુવાન સરપંચ ઋતુરાજ દેશમુખના સીએમએ વખાણ કર્યા
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક વર્ચ્યૂઅલ સંબોધનમાં મહારાષ્ટ્રના સૌથી યુવા સરપંચ ઋતુરાજ દેશમુખ(21) અને તેમના કાર્યદળની સોલાપુર જિલ્લામાં પોતાના ઘાટણે ગામને કોરોના મુક્ત રાખવા માટે વખાણ કર્યા હતા.