2014 થી શરૂ થયેલા ભારતના નવા રાજકીય યુગને લોકો મોદી-શાહ યુગ પણ કહે છે. આ દરમિયાન આ બંન્ને દિગ્ગજોની જોડીએ માત્ર બમ્પર બહુમતી સાથે સતત 2 લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં પણ ફતેહ મેળવી છે.
2014 પછી ભલે શરૂ થયો હોય મોદી-શાહ યુગ
આ નેતાઓ પાસે આજ પણ નથી ચાલ્યો મોદીનો જાદૂ કે શાહની ચાલ
આ દિગ્ગજોએ અનેક વખત મોદી-શાહને ફેંક્યો છે પડકાર
મોદી-શાહે એવા રાજ્યોમાં સરકાર બનાવી જ્યાં પહોંચવું મુશ્કેલ માનવામાં આવતું હતું. જેમ કે, ત્રિપુરા, હરિયાણા, ઝારખંડ. આ રાજ્યોમાં ભાજપે પોતાના દમ પર સરકારની રચના કરી હતી. જો કે, રાજ્યની રાજનીતિના એવા કેટલાક નેતાઓ પણ છે જે મોદી-શાહને માત આપે છે.
શરદ પવાર
મહારાષ્ટ્રમાં NCP ના સુપ્રીમોએ જે રીતે ભાજપની રણનીતિને માત આપી છે, તેનાથી તેઓ ફરીએકવાર સર્વોચ્ચ મરાઠા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભાજપે શરદ પવારની સીધો જ પડકાર આપતા તેમનું જ ઘર ફોડવાની કોશિશ કરી પરંતુ આશરે 80 કલાકની અંદર પવારે માત્ર ભાજપની સરકાર પાડી એટલું જ નહીં પરંતુ પોતાની શરતો પર શિવસેનાની સરકાર પણ બનાવવા જઇ રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીને પડકારતા રહ્યા છે. 2014 માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ મજબૂત બહુમતીથી જીત્યા હોવા છતાં દેશની સત્તાનું કેન્દ્ર બનેલી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી શક્યા નથી. 2014 માં, અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના ટેકાથી 49 દિવસની સરકાર બનાવવા માટે રાજીનામું આપ્યું હતું.
મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સતત નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીકા કરતા રહ્યા છે. પશ્ચિમ બંગાળના કબજાના યુદ્ધને લઈને ટીએમસી અને ભાજપ વચ્ચે ઘણા સીધા મુકાબલા થયા છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળની મહત્વપૂર્ણ બેઠકો જીતીને મમતા બેનર્જીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિધાનસભા ચૂંટણીમાં મમતા દીદીનો દબદબો યથાવત રહ્યો હતો.
નવીન પટનાયક
નવીન પટનાયક ઓડિશાના રાજકારણમાં સૌથી સ્વીકૃત નેતા છે. પટનાયક સતત પોતાના દમ પર ઓડિશા પર વિજય મેળવે છે. ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં, પક્ષ ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ખાસ સફળતા મેળવી શક્યો નથી.
કેપ્ટન અમરિન્દર સિંઘ
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘ એક રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં, એક એવા નેતા છે જે વ્યૂહરચના અને રાજકારણમાં મોદી અને શાહની બરાબર હોય તેવું લાગે છે. તેમણે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં 10 વર્ષ જૂની અકાલી-ભાજપ સરકારને સત્તાથી ઉથલાવીને પોતાની ક્ષમતા દર્શાવી છે.
અશોક ગેહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત એવા પાર્ટીના નેતાઓમાં શામેલ છે જેમણે ચૂંટણી રાજકારણમાં મોદી અને શાહને હરાવ્યા. 2018 ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 68 વર્ષીય અશોક ગેહલોતે મોદી-શાહના રાજકારણને મજબૂત ટક્કર આપી હતી અને તેમની પાસેથી રાજસ્થાનનો કિલ્લો છીનવી લીધો હતો.
ભુપેશ બધેલ
ભુપેશ બધેલ છત્તીસગઢ રાજ્યના મુખ્ય પ્રધાન છે, જેમણે 2018 ની છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસને પ્રચંડ વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભુપેશ બધલેના નેતૃત્વમાં કોંગ્રેસે છત્તીસગઢમાંથી 15 વર્ષ જૂની ભાજપ સરકારને ઉથલાવી દીધી હતી.
પિનરઇ વિજયન
કેરળ વિજયનું સપનું એ ભાજપની જૂની મહત્વાકાંક્ષા છે. પરંતુ ડાબેરીઓની મજબૂત પકક્ડની સામે પીએમ મોદી અને અમિત શાહની એક પણ ચાલ સફળ થઇ શકતી નથી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જબરદસ્ત સફળતા મળી હોય, પરંતુ કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું ન હતું. આ અગાઉ 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો હતો.