કેટલાક એવા અહેવાલો છે કે લગભગ એક ડઝન જેટલા ભાજપના ધારાસભ્યો અને મહારાષ્ટ્રના રાજ્યસભાના એક સાંસદ ભાજપ છોડીને શાસક ગઠબંધનના પક્ષોમાં જોડાવા માંગે છે. તેઓ ગઠબંધનના નેતાઓ સાથે પણ ચર્ચામાં છે.
મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ નવો ટ્વિસ્ટ
ગઠબંધનના નેતાઓની સાથે ચાલી રહી છે વાતચીત, ભાજપને લાગશે મોટો ઝટકો
મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ એવું લાગી રહ્યું છે કે ત્યાંની રાજનીતિમાં હજુ પણ ચોંકાવનારી વાતો સામે આવી શકે છે. મળતી માહિતી અનુસાર લગભગ એક ડઝન જેટલા ભાજપના ધારાસભ્યો અને મહારાષ્ટ્રના રાજ્યસભાના એક સાંસદ ભાજપ છોડીને શાસક ગઠબંધનના પક્ષોમાં જોડાવા માંગે છે. આ માટે તેઓ શાસક પક્ષ સાથે વાતચીત પણ કરી રહ્યા છે.
ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડીમાં આવવાના આપ્યા સંકેત
આ સંભવિત પક્ષકારો મોટા ભાગના ભાજપના ધારાસભ્યો છે. જેઓ એનસીપી અને કોંગ્રેસ છોડીને વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાજ્યસભાના સાંસદ સહિત આ બધાએ શાસક ગઠબંધનના નેતાઓને સંકેત આપ્યો છે કે તેઓ મહાગઠબંધનમાં સામેલ પક્ષોના ઉમેદવારો હોવાથી પેટા-ચૂંટણીમાં આગામી પેટા ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે. ભાજપમાં જોડાતા NCP અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો શિક્ષણ વ્યવસાય અને સુગર મિલ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને ભાજપ શાસનની કડકતાનો સામનો કરી રહ્યા હતા.
ભાજપ પોતે પણ કરી ચૂકી છે આવું
મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતાનું કહેવું છે કે ભાજપના નેતૃત્વ પહેલાં જ એવા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જ્યાં તેઓએ વિભિન્ન રાજ્યોના ધારાસભ્યો અને રાજ્યસભામાં વિપક્ષના સાંસદને રાજીનામું અપાવીને પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. આ ઉદાહરણોથી પ્રેરાઈને લગભગ એક ડઝનથી વઘારે ભાજપ ધારાસભ્યો અને એક રાજ્યસભા એમપી અમારા સંપર્કમાં છે. તેઓ ભાજપથી રાજીનામું આપીને પેટા ચૂંટણી લડવા તૈયાર છે. તેમના ભવિષ્યની રણનીતિ પર અમે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. અન્ય નેતાએ કહ્યું કે જે લોકો અમારા નેતૃત્વને લીલી ઝંડી આપવાની રાહ જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર બાદ આ મુદ્દા જોર પકડી શકે છે.
મોટાભાગના ધારાસભ્યો એનસીપીમાં આવવા ઈચ્છુક
પાર્ટી બદલવા ઈચ્છુક આ ધારાસભ્યોમાંથી મોટાભાગના એનસીપીમાં જોડાવવા ઈચ્છે છે. અન્ય કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ અને બાકી લોકો શિવસેનામાં સામેલ થવાની ઈચ્છા દેખાડી રહ્યા છે. આ ધારાસભ્યોએ પોતાના ક્ષેત્રમાં ગઠબંધન સહયોગીઓને હરાવીને જીત મેળવી હતી. તેમને લાગે છે કે જો ગઠબંધનના દરેક સહયોગીઓના વોટ તેમને મળશે તો તેમની પાસે પેટા ચૂંટણી જીતવાનો સારો અવસર છે.
ભાજપને પણ ખ્યાલ છે સચ્ચાઈ
આ નેતાઓમાંથી એકે અન્ય ઈશારો કર્યો કે ઉદ્ધવ ઠાકરે સરકારે ભાજપના વોકઆઉટ અને 169 ધારાસભ્યોના સમર્થનથી વિશ્વાસ મત જીત્યો છે. તેમનું કહેવું છે કે અમારા ભાજપમાં કેટલાક ગુપ્ત સહયોગી છે. આ કારણ છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપે વિશ્વાસ મત અને અધ્યક્ષની ચૂંટણી સમયે પોતાની તાકાત દેખાડવા માટે પોતાનું નામ ધારાસભ્યના લિસ્ટમાંથી હટાવી લીધું હતું.
ગોવાની ભાજપ સરકાર પર પણ છે નજર
સંયોગથી આ સમયે મહારાષ્ટ્ર ભાજપના એ નેતાઓએ મોહભંગ હોવાનું એલાન કર્યું અને સાથે પાર્ટી બદલવાની ધમકી આપી હતી જેને ચૂંટણીમાં ટિકિટ મળી નહતી. અન્ય તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યું કે તેમની પાર્ટી ગોવામાં ભાજપ સરકારને પાડી દેવાના મિશનમાં જોડાઈ ચૂકી છે.