મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ થતા ઉદ્ધવ સરકારે તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલ માટે નવા પ્રતિબંધો જારી કર્યાં છે.
સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ ફક્ત 50 ટકા લોકોને એન્ટ્રી આપી શકશે
રાજ્યના તમામ મોલ્સમાં માસ્ક પહેરવું ફરજિયાત
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ અનિવાર્ય
ઉદ્ધવ સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર, તમામ સિનેમાઘરો, રેસ્ટોરન્ટ અને હોટલોને 50 ટકા ક્ષમતા સુધી જ લોકોને રાખવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત રાજ્યના તમામ મોલ્સમાં લોકો માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે.
નવા પ્રતિબંધો
- માસ્ક વગર એન્ટ્રી નહીં
- તમામ સિનેમાઘરમાં ફક્ત 50 ટકા લોકોને મંજૂરી
- તાપમાન માપવાનું ડિવાઈસ રાખવું પડશે, જેમને તાવ હોય તેવા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ
- અલગ અલગ જગ્યાએ સેનિટાઈઝર રાખવાની વ્યવસ્થા
- સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ચેક કરવા માટે લોકોને રાખવા પડશે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 15051 કેસો
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 15051 કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,671 લોકોને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,30,547 છે. મુંબઈમાં હાલમાં 13309 એક્ટિલ કોરોના વાઈરસના દર્દીઓ છે.
નાઈટ કર્ફ્યૂ સહિત અનેક જરુરી પગલા ભરવામાં આવશે
દેશમાં નિયંત્રણમાં આવ્યા બાદ કોરોના ફરી બેકાબુ થયો છે. મહારાષ્ટ્ર સહિત અનેય રાજ્યોમાં સ્થિતિ વણસી છે. મધ્ય પ્રદેશમાં સંક્રમણ વધતા સરકાર કડકાઈથી પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. કોરોનાના પ્રસારને રોકવા કાલે થયેલી આ બેઠકમાં જરુર પડશે તો નાઈટ કર્ફ્યૂ સહિત અનેક જરુરી પગલા ભરવામાં આવશે.