કોરોના વાયરસ સંકટમાં કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ માટે મહારાષ્ટ્ર સરકારે કેટલાક જરૂરી દિશાનિર્દેશ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓની ઓફિસમાં દરરોજ થર્મલ તપાસ કરાશે. આ સિવાય દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવામાં આવશે. કામ દરમિયાન કર્મચારીઓએ માસ્ક પહેરવુ અનિવાર્ય રહેશે.
મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે કેટલાક જરૂરી દિશાનિર્દેશ જાહેર કર્યા
સફાઇ કર્મચારીઓએ માસ્કની સાથે ગ્લવ્સ પણ પહેરવા પડશે
મહારાષ્ટ્રમાં મોટાભાગની સરકારી ઓફિસ ખુબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહારાષ્ટ્ર સરકારની તરફથી જાહેર ગાઇડલાઇન મુજબ, સફાઇ કર્મચારીઓએ માસ્કની સાથે ગ્લવ્સ પણ પહેરવા પડશે. કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. ઓફિસના પ્રવેશદ્વાર પર સનેટાઇઝર રાખવું અનિવાર્ય રહેશે. વર્ક ફ્રોમ હોમનો વધારેમાં વધારે ઉપયોગ કરવો પડશે અને ઇમેલ દ્વારા ફાઇલ પહોંચાડવા કહેવામાં આવ્યું છે.
દેશમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 65,000ને પાર કરી ચૂક્યો છે. મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં કોરોના વાયરસના કુલ કેસ 65,168 પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 2,197 લોકોના મોત થયા છે.
ભારતમાં જારી દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,82,143 થઇ ગઇ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 5,164 લોકોના મોત થઇ ચૂક્યા છે.