મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યપાલ કોશયારીને વિમાનમાંથી ઉતારી દેવાની ઘટના અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું નિવેદન
ઉદ્ધવ સરકારે રાજભવનના અધિકારી પર ફોડ્યું ઠીકરું
રાજ્યપાલ કોશયારીને સરકારી વિમાનમાંથી ઉતારી દેવાયા હતા
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલના સંબંધિત અધિકારીઓ સરકારી વિમાનમાં મુસાફરી માટે અરજી કરે છે અને અમુક સમય પછી તેમને કહેવામાં આવે છે કે તેમને અનુમતિ અપાઈ છે કે કેમ, મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિવેદન એ ઘટનાના સંદર્ભમાં આવ્યું છે જેમાં રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીને દેહરાદૂન જવા માટે સરકારી વિમાનમાં બેસવાની પરવાનગી અપાઈ નહોતી, જેના પછી આ ઘટનાનો વિવાદ વધ્યો હતો અને સરકારે નિવેદન જાહર કરીને સ્પષ્ટતા કરી છે.
રાજભવનના અધિકારીની હતી ભૂલ : સરકાર
આ મુદ્દે સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ મામલે ભૂલ રાજ્યપાલ ભવનના અધિકારી દ્વારા કરવામાં આવી છે. અધિકારીએ સમયસર રાજ્યપાલને આ વિશે માહિતી આપી ન હતી. મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલના સંબંધિત અધિકારીઓ સરકારી વિમાન દ્વારા મુસાફરી માટે અરજી કરે છે અને સમય જતાં તેમને કહેવામાં આવે છે કે પરવાનગી આપવામાં આવી છે કે નહીં.
સરકારે અધિકારીના માથે ફોડ્યું ઠીકરું
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલને દહેરાદૂન જવા માટે સરકારી વિમાનની મંજૂરી અંગે જાણ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે આની મંજૂરી આપી નથી. પરંતુ રાજભવનના સંબંધિત અધિકારીએ આ માહિતી આગળ રાજ્યપાલને આપી ન હતી, જેના કારણે તેમને એરપોર્ટ પર મુશ્કેલી ઉભી થઈ હતી. મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં દોષિત રાજ ભવન અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
શું હતી ઘટના?
મહત્વનું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશયારીને મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં સરકારી વિમાન દ્વારા જવાનું હતું, પણ આ મુદ્દે ઉદ્ધવ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી, જેના લીધે સરકારી વિમાનમાં બેઠા પછી તેમણે નીચે ઊતરવું પડ્યું હતું અને ખાનગી વિમાન દ્વારા જવું પડયુ હતું, આ ઘટનાને ભાજપે ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું હતું, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આવી ઘટના ક્યારેય નથી બની, રાજ્યપાલ એક વ્યક્તિ નહીં, પણ સંસ્થા છે અને તેનું ઉચિત સન્માન થવું જોઈએ.
પાલઘરની ઘટના પછી સીએમ અને રાજ્યપાલ વચ્ચે તણાવ ચાલુ છે
મહત્વનું છે કે પાલઘરમાં સાધુઓની હત્યા બાદથી મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે તણાવ ચાલુ છે. શિવસેનાએ તે સમયે પણ રાજ્યપાલ કોશિયારીની સક્રિયતાથી નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં, રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોરોનાને કારણે બંધ મંદિરો ખોલવાના મામલે સંઘર્ષ થયું ત્યારે આ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. કોશયારીએ એક પત્ર લખીને ઉદ્ધવ પર હિન્દુત્વને ભૂલી જવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેનાએ આ પત્ર અંગે નારાજગી વ્યક્ત કરી હતી.