શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે બીજેપીના મુખ્યમંત્રી પદ શેયર ન કરવાના અહંકારને કારણે વર્તમાન સ્થિતિ ઉત્પન્ન થઇ. સરકાર બનાવવાના સવાલ પર સંજય રાઉતે મોટુ નિવેદન આપ્યું છે, સંજય રાઉતે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં બીજેપી પીડીપીની સાથે હાથ મિલાવી શકે છે તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે કેમ નહીં.
સંજય રાઉતે કહ્યું કે બીજેપીના મુખ્યમંત્રી પદ શેયર ન કરવાના અહંકારને કારણે વર્તમાન સ્થિતિ ઉત્પન્ન થઇ
સંજય રાઉતે કહ્યું, બીજેપી પીડીપી સાથે ગઠબંધન કરી શકે તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે કેમ નહીં.
સંજય રાઉતે કહ્યું કે, બીજેપી વચન પૂર્ણ નહીં કરવા ઇચ્છતી તો ગઠબંધનમાં રહેવાનો કોઇ અર્થ નથી
જ્યારે એનડીએમાં રહેવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું કે, બીજેપી પોતાનુ વચન પૂર્ણ નહીં કરવા ઇચ્છતી તો ગઠબંધનમાં રહેવાનો કોઇ અર્થ નથી. એમણે કહ્યું કે બીજેપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે 72 કલાક આપવામાં આવ્યા. ત્યારે કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવવાના સવાલ પર સંજય રાઉતે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં પીડીપીની સાથે-સાથે હાથ મિલાવી શકે છે તો, શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે કેમ નહીં. રાઉતે કહ્યું કે કોંગ્રેસ, એનસીપીને મતભેદ ભૂલીને મહારાષ્ટ્રના હિતમાં એક સહયોગમાં કાર્યક્રમમાં સાથે આવવું જોઇએ.
નોંધનીય છે કે મોદી સરકારમાં શિવસેનાના એકમાત્ર મંત્રી અરવિન્દ સાવંતે પણ રાજીનામાનું એલાન કરી દીધુ છે અને તેની સાથે જ બીજેપી-શિવસેનાની 30 વર્ષની જુની મિત્રતા તુટી ગઇ છે. જ્યારે સરકાર બનાવવાની કવાયત વચ્ચે મહારાષ્ટ્રમાં એનસીપીની તો દિલ્હીમાં કોંગ્રેસની બેઠક થઇ છે. શરદ પવારે કહ્યું કે શિવસેનાની સાથે સરકાર બનાવવાનો નિર્ણય પહેલા કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. બીજેપી અને શિવસેનાએ મળીને બહુમતીનો 145નો આંકડો પાર કરી લીધો હતો.