મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓએ આજે પોતાની હડતાળ પાછી લઇ લીધી છે. કર્મચારી વેતનમાં વધારા સહિત વિવિધ માંગોને લઇને ત્રણ દિવસની હડતાળ પર ચાલ્યા ગયા હતા અને રાજ્ય પ્રશાસનથી સકારાત્મક આશ્વાસન મળ્યા બાદ એમને હડતાળ પાછી લઇ લીધી છે.
આશરે 17 લાખ કર્મચારી વિવિધ માંગોને લઇને મંગળવારથી હડતાળ પર હતા. એમની માંગો સાતમાં વેતન આયોગની ભલામણોને લાગૂ કરવા અને ખાલી પદોને ભરવાનું સામેલ છે.
હડતાળનું આહ્વાન કરનાર સંગઠનના અધ્યક્ષનું કહેવું છે કે એ લોકોએ પહેલા મુખ્યમંત્રી અને નાણા મંત્રી સાથે ચર્ચા કરી હતી અને આજે મુખ્ય સચિવ સાથે વાતચીત કરી. સરકાર એમની મોટાભાગની માંગો પર સહેમત થઇ ગઇ છે.
એમને દાવો કર્યો કે આરક્ષણની માંગને લઇને મરાઠા સમુદાયના પ્રદર્શનના કારણએ રાજ્યમાં સ્થિતિ સારી નથી અને સરકારી કર્મચારીઓની હડતાળના કારણે સ્વાસ્થ્ય તથા અન્ય આપાતકાલીન સેવાઓ પ્રભાવિત છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હત સપ્તાહે કહ્યું હતું કે જાન્યુઆરી 2019થી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સાતમાં વેતન આયોગની અનુશંસાઓને લાગૂ કરવામાં આવશે.