મહારાષ્ટ્રના રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે સવાલ ઉભો થઇ રહ્યો હતો કે આખરે કોની સરકાર હશે? ત્યારે બીજો એક સવાલ ઉભો થયો છે કે આખરે NCP કોની છે? એક તરફ દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યૂટી સીએમના શપથ લેનાર અજિત પવાર દાવો કરી રહ્યા છે કે, NCP બીજેપી સાથે છે. ત્યારે હવે શરદ પવારે તેના પર જવાબ આપ્યો છે.
શરદ પવારે અજિત પવાર પર વાર કરતા કહ્યું કે, તેઓ ખોટુ નિવેદન આપી ભ્રમ ફેલાવી રહ્યા છે
શરદ પવારે કહ્યું કે, NCPએ સર્વસમ્મતિથી શિવસેના, કોંગ્રેસ સાથે સરકાર બનાવાનો નિર્ણય લીધો છે
અજિત પવારે ટ્વિટ કરી કહ્યું કે, હું હજુ પણ NCPમાં છું, ભાજપ સાથે અમારી સરકાર ચાલશે
પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે અજિત પવારને જવાબ આપતા ટ્વિટ કરી કહ્યું કે, બીજેપી ( BJP ) સાથે ગઠબંધનનો કોઇ સવાલ જ નથી. એનસીપીએ એકમતથી સરકાર ગઠન માટે શિવસેના અને કોંગ્રેસની સાથે ગઠબંધનનો નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે અજિત પવારનું નિવેદન ખોટુ છે અને લોકોને ભ્રમિત કરનારુ છે. અજિત પવાર લોકોની વચ્ચે ભ્રમ પેદા કરી ખોટી ધારણા બનાવવા માંગે છે.
There is no question of forming an alliance with @BJP4Maharashtra.
NCP has unanimously decided to ally with @ShivSena & @INCMaharashtra to form the government. Shri Ajit Pawar’s statement is false and misleading in order to create confusion and false perception among the people.
શરદ પવારના આ ટ્વિટ બાદ એનસીપી ( NCP ) ધારાસભ્ય દળના નવા નેતા જયંત પાટીલે પણ ટ્વિટ કરી અજિત પવારને ઘર વાપસીની અપીલ કરી છે. તેમણે મરાઠીમાં ટ્વિટ કર્યું, શરદ પવારના નિર્ણયનું સન્માન કરતા પાછા આવો. તેઓ રાજ્યનું હિત જોઇને બીજેપીની સાથે ગઠબંધન નથી ઇચ્છતા. તમે પાર્ટીના સંસ્થાપક સદસ્ય રહ્યા છો અને અમે સૌ કોઇ શરદ પવારની છત્રછાયામાં આગળ વધ્યા છે.
અજિત પવારે ચાલ્યો દાવ, હજુ પણ NCPમાં, BJP સાથે ચાલશે સરકાર
આ પહેલા અજિત પવારે ટ્વિટ કરી કહ્યું હતું, હું એનસીપીમાં જ છું અને શરદ પવાર અમારા નેતા છે. આટલું જ નહીં તેઓએ આગળ લખ્યું કે, BJP- એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આવતા 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે. ત્યારબાદ વધુ એક ટ્વિટમાં અજિત પવારે લખ્યું કે, કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરુર નથી, તમામ સારુ છે. જોકે, થોડું ધૈર્ય રાખવાની જરુર છે. સમર્થન માટે તમામનો આભાર.