મહારાષ્ટ્રમાં ફરીવાર રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે મોટો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ સરકાર અને ગવર્નર વચ્ચે તણાવપૂર્ણ માહોલ રહે છે ત્યારે તેમાં વધુ એક વિવાદ આવ્યો છે.
મહારાષ્ટ્રમાં વધુ એક વિવાદ
સીએમ અને ગવર્નર વચ્ચે વધી શકે છે અંતર
સીએમના કાર્યાલય તરફથી ગવર્નરના પ્લેનને મંજૂરી ન અપાઈ
શું છે મામલો?
મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશરારી આજે રાજ્ય સરકારના એક વિમાનથી દેહરાદૂન જઈ રહ્યા હતા અને તે સરકારી ચાર્ટર પ્લેનની અંદર વીસ મિનિટ સુધી બેસી રહ્યા પરંતુ મહારાષ્ટ્રની સરકારે તેમના વિમાનને લઈ જવાની મંજૂરી ન આપી. જે બાદ ગવર્નરે વિમાનથી ઊતરવું પડ્યું અને પ્રાઇવેટ વિમાનથી તેઓ મુંબઈથી દેહરાદૂન માટે રવાના થયા. માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ હવે ભાજપ અને સત્તાધારી સરકાર વચ્ચે વિવાદ વધી શકે છે.
Today, when Gov Bhagat Singh Koshyari reached Mumbai Airport & boarded govt plane. Governor was informed that permission for use of aircraft had not been received. Tickets were booked on a commercial aircraft immediately & he left for Dehradun: Maharashtra Governor's Office
પહેલા જ સરકારને પ્રવાસ માટે જાણકારી આપી દેવામાં આવી હતી
રાજભવન તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ પ્રવાસ ખાનગી નથી, આધિકારીક જ છે અને તેઓ ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલબહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમીમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. ગવર્નરની ઓફિસ તરફથી એક સપ્તાહ પહેલા જ આ મુદ્દે જાણકારી આપી દેવામાં આવી હતી તે છતાં મંજૂરી આપવામાં ન આવી.
આખરે ભગત સિંહે પ્રાઇવેટ વિમાનથી જવું પડ્યું
નોંધનીય છે કે સરકાર પ્લેનના ઉપયોગની મંજૂરી મુખ્યમંત્રીના અંતર્ગત આપવામાં આવે છે પરંતુ ભગત સિંહ કોશયારી અડધો કલાક સુધી રાહ જોઈ છતાં ઠાકરેની ઓફિસમાંથી કોઈ જ ફોન ન આવ્યો અને મંજૂરી પણ આપવામાં ના આવી જે બાદ ભગત સિંહ કોશયારીએ ટિકિટ ખરડીને મુંબઈથી દેહરાદૂનની ફ્લાઇટમાં રવાના થયા.