સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મુદ્દે સુનાવણી ટાળવામાં આવી છે. આવતી કાલે ફરીથી સુનાવણી કરવામાં આવશે. કોંગ્રેસ, NCP અને શિવસેનાએ શનિવારની સવારે લેવાયેલા શપથ ગ્રહણને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અજિત પવારના પાવર પર ટક્યો BJPનો પ્લાન
સાથે ન આવનારા ધારાસભ્યોને પવાર ગણી શકે છે અયોગ્ય
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટકી છે દરેકની નજર
મહારાષ્ટ્રમાં BJPએ આખરે અજિત પવારની સાથે શનિવારે સવારે કોઈ પ્લાનના આધારે સરકાર બનાવી લીધી. સૂત્રોનું માનવું છે કે તેની પાછળ કોઈ સમજેલું અને વિચારેલું ગણિત છે. હવે બધો આધાર કોર્ટ પર ટક્યો છે કે તે શું નિર્ણય આપે છે. સૂત્રોના આધારે BJPની પાસે 105 ધારાસભ્યો છે, 13 નિર્દલીય છે. જો કે અજિત પવાર વિધાનમંડળ પક્ષના નેતા હતા તો તેઓ દાવો કરે છે કે તે પાર્ટીની સાથે BJPને સમર્થન આપશે. જો બીજેપીની પાસે ધારાસભ્યોની સંખ્યા 105 હોત અને 13 ઉમેદવાર અને 19 એનસીપીના ઉમેદવાર તો બહુમત 137 થઈ શકે. જે બહુમતના 127ના આંકથી 10 વધારે છે. આ રીતે બીજેપી સરકાર બનાવી શકતી.
બીજેપીને છે મોટી આશા
બીજેપી ( BJP )ને સુપ્રીમ કોર્ટમાં થતી સુનાવણીને લઈને આશા છે. તેમની દરેક આશા એક દલીલ પર ટકેલી છે. અજિત પવાર પણ એનસીપી વિધાનમંડળના નેતા છે અને આ રીતે અજિત પવાર પણ દરેકને બીજેપીના પક્ષમાં વોટ આપવા માટે વ્હીપ જાહેર કરે છે અને એનસીપીના દરેક નેતા વિરોધમાં મત આપે છે તો બહુમત સાબિત કરવાની સંખ્યા 145ને બદલે 118ની થશે.
બીજેપી પહેલાં જ 118ની સંખ્યાનો દાવો કરે છે. ભાજપ નેતા આશિષ શેલારનું કહેવું છે કે અજિત પવારને વિધાનમંડળ પાર્ટીના નેતા નક્કી કરવા એ યોગ્ય છે અને સાથે જ તેમને હટાવીને જયંત પાટિલને નેતા બનાવી દેવા એ અયોગ્ય છે.