મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં શેરડીની ફેક્ટરીમાં કામ કરતા આશરે 1 લાખ પરપ્રાંતીય મજૂરોને વતન લોકડાઉન વચ્ચે પણ તેમના વતન પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટેનું કારણ દેશમાં ચાલી રહેલા મેડિકલ ટેસ્ટને ગણાવવામાં આવ્યું છે. આ માહિતી સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ધનંજય મુંડેએ શુક્રવારે આપી હતી.
મહારાષ્ટ્રમાં ફસાયા છે લાખો પરપ્રાંતીય કામદારો
મિનિસ્ટર ઓફિસના એક નિવેદન પ્રમાણે 1.31 લાખ શેરડીની ફેક્ટરીના કામદારો અત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવેલી 38 ફેક્ટરીમાં કામચલાઉ ધોરણે બનાવી દેવાયેલા રહેઠાણોમાં રહે છે જયારે બીજા કામદારો રાજ્યના બીજા ભાગોમાં ફસાયેલા છે. નોંધનીય છે કે આ 3 મેં સુધી લંબાવાયેલા દેશવ્યાપી લોક ડાઉનથી પરપ્રાંતીય મજૂરોને સૌથી વધુ અસર થઇ છે અને ટ્રાંસપોર્ટની ગેરહાજરીમાં ફસાઈ ગયેલા મજૂરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
ધનંજય મુંડેએ ટ્વીટ કરીને આપી જાણકારી
હવે રાજ્ય સરકારના શેરડીની ફેક્ટરીના કામદારોને વતન પરત ભરવા દેવાના નિર્ણયથી રાજ્યમાં મોટા પ્રમાણમાં સ્થળાંતરની પ્રક્રિયા થશે તેમ માનવામાં આવી રહ્યું છે. ધનંજય મુંડેએ ટ્વીટ કર્યું હતું કે "મારા શેરડીની ફેક્ટરીમાં કામ કરતા કામદાર ભાઈઓ માટે સારા સમાચાર છે! સરકારે આ મુદ્દે એક અગત્યનો નિર્ણય લીધો છે. તમે હવે સરકારની સુરક્ષા ગાઇડલાઇન્સની કડક પાલન કરીને વતન પરત ફરી શકો છો. પોતાના સ્વાસ્થ્યની અને પોતાના ગામના સ્વાસ્થ્યની કાળજી રાખો. એક વખત વતન પહોંચી ગયા પછી ઘરમાં જ રહેજો!"
माझ्या ऊसतोड बांधवांसाठी खुशखबर!
तुमचा स्वगृही परतण्याचा मार्ग आता खुला झाला आहे. शासनाने यासंबंधी आदेश निर्गमित केला आहे. शासनाने घालून दिलेल्या नियमाच्या अधीन राहून घरी परता. स्वतःच्या आरोग्याची त्याचबरोबर आपल्या गावाचीही काळजी घ्या. स्वगृही परतल्यावर कुटुंबासह घरातच रहा. pic.twitter.com/Vg4sjrULOs
તેમણે આ અંગે સરકારે બહાર પાડેલો સર્ક્યુલર પણ મુક્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હેલ્પ અને રિહેબિલિટેશન અને રેવન્યુ વિભાગનો સંયુક્ત નિર્ણય છે. આ નિર્ણયથી બીડ અને અહેમદનગર જે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા છે અને કર્ણાટકની સરહદ પાસેના ભાગો અને રાજ્યમાં અન્ય જગ્યાઓએ કામ કરતા શેરડીની ફેક્ટરીના કામદારોને ઘણો ફાયદો થશે એમ મિનિસ્ટર ઓફિસમાંથી આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
કામદારોએ પ્રક્રિયા પૂરી કરવી પડશે; ફેક્ટરી માલિકોને તાકીદ
નિવેદનમાં ઉલ્લેખ છે કે ફેક્ટરીના માલિકોએ આ કામદારો અને તેમના પરિવારજનોનો સૌપ્રથમ ટેસ્ટ કરાવવો પડશે. ત્યાર બાદ આ સર્ટિફિકેટ વિષે તેમણે વહીવટી અધિકારીને જાણ કરીને તેમની અનુમતિ લઇને સુરક્ષિત યાત્રાની પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત ફેક્ટરીના માલિકોએ તેમના કામદારો ગામડે પહોંચી જાય તે માટે જિલ્લા કલેકટર અને ગ્રામ પંચાયતના તંત્રમાં પોતાનો ભાગ ભજવવો પડશે. આ દરમિયાન કામદારો માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા ફેક્ટરીના માલિકો કરશે.
આ ઉપરાંત કામદારોના સ્થળાંતરની વ્યવસ્થાના પ્લાન સૌપ્રથમ તેમણે સરકારને જમા કરાવવા પડશે.