શિવસેના નેતા સંજય રાઉતે ફરી એક વાર કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે,
શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહારો
ઈડીને લઈને કહી આ વાત
ચૂંટણી પંચ ભાજપને સમર્થન કરતું હોવાનો આરોપ
શિવસેના નેતા સંજય રાઉતે ફરી એક વાર કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું છે કે, 48 કલાક માટે ઈડી અમારા હાથમાં આપી દો, પછી જુઓ દેવેન્દ્ર ફડણવીસ પણ શિવસેનાને વોટ આપશે.
હકીકતમાં જોઈએ તો, સંજય રાઉત કેન્દ્ર સરકાર પર ઈડીનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, શિવસેના તેમનાથી ડરતી નથી. આ અગાઉ પણ આરોપ લગાવતા કહ્યું હતું કે, સમગ્ર દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીની ટાઈમિંગ અમને ખબર છે, જ્યાં કોઈ પણ ચૂંટણી હોય, અથવા કોઈ પણ રાજ્યમાં અસ્થિરતા ઉભી કરવી હોય તો, ઈડી અથવા સીબીઆઈને મોકલી દો, પણ મહારાષ્ટ્ર ઝૂકશે નહીં અને શિવસેના ડરશે પણ નહીં.
ચૂંટણી પંચ પર લગાવ્યો ભાજપને સમર્થન કરવાનો આરોપ
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છમાંથી ત્રણ સીટો ભાજપે જીત્યા બાદ શિવસેના નેતા સંજય રાઉતે શુક્રવારે ચૂંટણી પંચ પર ભાજપનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ચૂંટણી પંચે અમારો એક વોટ અમાન્ય કરી દીધો. અમે બે વોટનો વિરોધ કર્યો પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નહીં. ચૂંટણી પંચ પણ ભાજપનું સમર્થન કરી રહ્યું છે.