મહારાષ્ટ્રમાં મુંબઇ અને નાગપુર સહિત મોટાભાગના શહેર બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી સેવાઓ યથાવત રહેશે. આ સાથે જ દિલ્હીમાં પણ મોલ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાનો ભય યથાવત
મહારાષ્ટ્રમાં ધો.1થી8 ના વિદ્યાર્થીઓની પરીક્ષા કરાઇ રદ્દ
પરીક્ષા વગર જ મોકલાશે આગળના ધોરણમાં
તો આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ કહ્યું કે, લોકલ ટ્રેન, બસ ચાલશે તથા મુંબઇમાં સાર્વજનિક વાહનો પર પાબંધી એ આખરી નિર્ણય લેશે. આ સાથે જ પરીક્ષા પણ રદ્દ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
પરીક્ષા કરાઇ રદ્દ
Maharashtra CM Uddhav Thackeray: State government has ordered complete shutdown in Mumbai Metropolitan Region, except essential services and public transport. This is not a holiday, avoid crowding. Banks to remain open in the state. #Coronavirushttps://t.co/NTC2Lcps9a
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે, 1થી 8 ધોરણ સુધીની તમામ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ આગળના ધોરણમાં મોકલવામાં આવશે. તો ધોરણ 9થી 11 માટેની પરીક્ષા 15 એપ્રિલ 2020 બાદ લેવાશે.
વધુ 3 લોકોને કોરોના વાયરસનો ચેપ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેટ ટોપે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં વધુ 3 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 52 થઇ ગઇ છએ. પોટેએ વધુમાં કહ્યું કે, 3 મામલા મુંબઇ, પુણે અને પિંપરી-ચિંચવડમાં સામે આવ્યા છે.
29 માર્ચ સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો લેવાયો નિર્ણય
Delhi CM Arvind Kejriwal: In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegetable shops in them) pic.twitter.com/1Q2Th7Mkwr
અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયા ભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં કોરોના વાઈરસના ખતરા સામે સાવચેતી રાખવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડરના જિલ્લાઓ અલર્ટ પર
આરોગ્ય ની ટીમો સ્થળ પર જ લોકોને કોરોના ના લક્ષણો અને તેનાથી બચવા માટે જરૂરી પગલાં અંગે જનજાગૃતિ માટે સૂચનો અને માહિતી પણ આપવામાં આવી રહી છે. આમ વલસાડનું તંત્ર મહારાષ્ટ્રમાં કોરોના ના કારણે ઉદભવી રહેલી પરિસ્થિતિને વલસાડના તંત્રએ ગંભીરતાથી લઇ છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ છે.