એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઘેરાયેલું છે ત્યારે બીજી તરફ ઠાકરે સરકારના વન મંત્રીએ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ
ઠાકરે સરકારના વન મંત્રીનું રાજીનામું
ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણ આપઘાત કેસમાં આવ્યુ હતુ નામ
પુણે સ્થિત મહિલાના આપઘાત કેસમાં નામ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડે રવિવારે રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે આઠ ફેબ્રુઆરીએ પુણેના હડપસર વિસ્તારમાં કથિત રીતે મકાનમાંથી નીચે પડ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં અને વિપક્ષી ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ 23 વર્ષીય મહિલાનું મોત રાઠોડ સાથે સંબંધિત છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
યુવતીના મોત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. તે જ સમયે, મહિલાના પિતાનું કહેવું છે કે જો તેની પુત્રીની મૃત્યુ પર રાજકારણ સમાપ્ત નહીં થાય તો તે તેના પરિવારના સભ્યો સાથે મળીને આત્મહત્યા કરશે. તેણે શનિવારે કહ્યું હતું કે તેના પરિવારની બદનામી બંધ થવી જોઈએ કારણ કે તેની બીજી એક પુત્રી છે જેનું હજી લગ્ન કરવાનું બાકી છે.
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે વિસ્તૃત તપાસની વાત કરી હતી. તો રાષ્ટ્રીય મહિલા આયોગે પણ તેમાં દખલ દેતા રાજ્ય સરકાર અને પુણે પોલીસ આયુક્તને નોટિસ ફટકારી છે.