પુરના કારણે 164 લોકોના મોત થયા છે. જ્યારે 100 જેટલા લોકો ગુમ થયા
પુરથી બચવા માટે 7 કલાક સુધી બસની છત પર બેઠા રહ્યા
પુરના કારણે 164 લોકોના મોત થયા છે. જ્યારે 100 જેટલા લોકો ગુમ થયા
મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગત અઠવાડિયે ભારે વરસાદ અને પુરના કારણે 164 લોકોના મોત થયા છે. જ્યારે 100 જેટલા લોકો ગુમ થયા છે. રત્નાગિરી, કોલ્હાપુર, સાંગલી અને રાયગઢ જેવા જિલ્લા હજું પણ પાણીમાં ડુબેલા છે. રત્નાગિરીના ચિપલૂનમાં પુરથી વણસેલી સ્થિતિમાં એક બસ ડેપોના મેનેજરે દૈનિક પરિવહન રાજસ્વ વિભાગની મોટી રકમ બચાવી છે. એટલા માટે તેઓ પોતાની ટીમની સાથે 7 કલાક સુધી બસની છત પર બેઠેલા રહ્યા.
ગત ગુરુવારે જ્યારે ચિપલૂનમાં ભારે વરસાદને લીધે પાણીનું સ્તર વધી રહ્યું હતુ. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન બસ ડેપો મેનેજર સવારે સાડા 4 વાગે ઓફિસ પહોંચ્યા અને 9 લાખ રુપિયાના દૈનિક રાજસ્વને પાણીમાં બરબાદ થવાથી બચાવ્યુ. વરસાદના કારણે બસ ડેપોની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતુ.
પુરથી બચવા માટે 7 કલાક સુધી બસની છત પર બેઠા રહ્યા
આ દરમિયાન મેનેજર રંજીત રાજશિરકેના પોતાને તથા રાજસ્વના પૈસા બચવવા માટે પાણીમાં ડૂબેલી બસની છત પર બૈઠા રહ્યા. તેમની સાથે તેમની ટીમના 6 સભ્ય સવારના 5 વાગ્યાથી બસની છત પર ચઢી ગયા અને 7 કલાક સુધી બેઠા રહ્યા. તેમણે પૈસા ભરેલી બેગ પણ પોતાની પાસે રાખી હતી. બાદમાં એનડીઆરએફની રેસ્ક્યૂ ટીમે તેમને બચાવ્યા.
પાણીનું સ્તર વધી રહ્યું હતુ એને બસ ડગી રહી હતી
આ અંગે વાત કરતા રંજીતે જણાવ્યું કે બસ ડગી રહી હતી. કેમ કે પાણીનું સ્તર વધારે હતુ. અમને પડવાનો ડર હતો પણ મને ચિપકીને બેઠા રહ્યા. સરકાર હવે રંજીત અને તેમની ટીમને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે.