શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ગુરૂવારે શપથ લીધા છે. તેમણે મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી.
ઉદ્ધવ કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ
ઉદ્ધવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી
શિવાજીના રાયગઢ કિલ્લા માટે કર્યું 20 કરોડનું એલાન
આ બેઠકમાં ખેડૂતોની સમસ્યાને લઇને ચર્ચા કરવામાં આવી
ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, સરકાર સામાન્ય પ્રજા માટે કામ કરશે. પ્રજાના આશિર્વાદ બન્યો રહેવો જોઇએ. તેમણે રાયગઢના શિવાજી કિલ્લાના સમારકામનું એલાન કર્યું છે. શિવાજી કિલ્લા માટે 20 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો પર પણ મીડિંગમાં ચર્ચા થઇ. જોકે તેમના માટે કોઇ પણ નિર્ણય સ્થિતિ રિપોર્ટ જોયા બાદ લેવામાં આવશે. મુખ્ય સચિવ સાથે ખેડૂતોને લઇને જાણકારી માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોની ખુશી માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સેક્યુલર શબ્દ પર પણ સવાલ થયા, પરંતુ સવાલ પર ઉદ્ધવ ભડકી ઉઠ્યા. તેમની જગ્યાએ છગન ભુજબલે સેક્યુલર શબ્દ પર જવાબ આપ્યો.
Mumbai: Maharashtra CM Uddhav Thackeray at Sahyadri Guest House before commencement of state government's first cabinet meeting. pic.twitter.com/ED4jksaTxV
એકનાથ શિંદેએ સીએમપીનું એલાન કરતા કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ પર સરકારનું જોર રહેશે અને તેઓએ દાવો કર્યો કે 170 ધારાસભ્યો ગઠબંધન સરકારની સાથે છે. શિદેએ કહ્યું કે બંધારણના મુલ તત્વોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને તમામ ભાષા-પ્રાંતોને સાથે લઇને આ સરકાર આગળ વધશે.