મહારાષ્ટ્રમાં ભંડારામાં શુક્રવારે મોડી રાતે સરકારી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. આ દૂર્ઘટનામાં 10 નવજાત બાળકોના મૃત્યું થયા છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં છે. દૂર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે.
મહારાષ્ટ્રના ભંડારામાં શુક્રવારે મોડી રાતે સરકારી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં 10 નવજાત બાળકોના મૃત્યું થયા છે. જેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે સાથે વાતચીત કરી.
આ સાથે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જિલ્લાઅધિકારી અને પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી દૂર્ઘટના સંબંધી જાણકારી મેળવી. જ્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી ઘટનાસ્થળે જવા રવાના થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ દૂર્ઘટનાને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રના ભંડારામાં થયેલા અગ્નિકાંડ દૂર્ઘટનામાં બાળકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ હૃદય વિદારક દૂર્ઘટનામાં પોતાના નવજાત બાળકોને ખોનારા પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
महाराष्ट्र के भंडारा में हुए अग्नि हादसे में शिशुओं की असामयिक मृत्यु से मुझे गहरा दुख हुआ है। इस ह्रदय विदारक घटना में अपनी संतानों को खोने वाले परिवारों के प्रति मेरी हार्दिक संवेदना।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભંડારા દૂર્ઘટના પર દુઃખ વ્યકત કરતા મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આ સાથે જ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા બાળકો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે.
Heart-wrenching tragedy in Bhandara, Maharashtra, where we have lost precious young lives. My thoughts are with all the bereaved families. I hope the injured recover as early as possible.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દૂર્ઘટના દૂર્ભાગ્યપૂર્ણ બતાવતા દુઃખ વ્યક્ત કર્યું. અમિત શાહે કહ્યું કે મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે. ભગવાન પીડિત પરિવારોને શક્તિ આપે.
The fire accident in Bhandara district hospital, Maharashtra is very unfortunate. I am pained beyond words. My thoughts and condolences are with bereaved families. May God give them the strength to bear this irreparable loss.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દૂર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રાજ્ય સરકારને પીડિતોને દરેક પ્રકારે શક્ય સહાયતા ઉપલબ્ધ કરવા અપીલ કરી છે.
The unfortunate incident of fire at Bhandara District General Hospital in Maharashtra is extremely tragic.
My condolences to the families of the children who lost their lives.
I appeal to Maha Govt to provide every possible assistance to the families of the injured & deceased.