મહારાષ્ટ્રના પાલઘર નજીક તારાપુરના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પરિસરમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગમાં અનેક કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે. ફેક્ટરીના 13 મજૂરો દાઝતાં સારવારના અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી 3ની હાલત વધારે ગંભીર છે. ઘાયલ થયાની માહિતી મળી છે. કેમિકલ ફેક્ટરીમાં પહેલા વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી.
ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 10 કિલોમીટરના દાયરામાં પાલઘર સાતપાટી ચિંચણી જેવા વિસ્તારોમાં કંપની મહેસૂસ થયા. ઘટનાસ્થળથી માત્ર 20 કિમી દૂર તારાપુર ન્યૂક્લિયર પાવર સ્ટેશન છે.
સૂત્રોનુસાર આગ લાગ્યાંની માહિતી મળતા જ ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહતની કામગારી શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે આગના આજુબાજુની 6 ફેક્ટરીઓમાં પણ ફેલાઇ હતી જોકે હાલમાં આગ ભીષણ હોવાથી તેના પર કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ છે.