શિવસેના સમર્થકોએ કોલ્હાપુરમાં એક થિયેટર બંધ કરાવી દીધું છે. થિયેટરમાં કન્નડ ફિલ્મ લાગી હતી. શિવસેના સમર્થકોએ બોર્ડ પર કાળી શાહી લગાવી દીધી. નોંધનીય છે કે, કોલ્હાપુર, કર્ણાટક અને મહારાષ્ટ્ર્ની બોર્ડર છે. બેલગામ કર્ણાટકનો ભાગ છે, પરંતુ મરાઠી નેતાઓનું માનવું છે કે, તેને મહારાષ્ટ્રનો ભાગ હોવો જોઇએ. તેના પગલે બંને રાજ્યોમાં સતત તણાવની સ્થિતિ બની ગઇ છે.
શિવસેના સમર્થકોએ કોલ્હાપુરમાં એક થિયેટર બંધ કરાવ્યું
શિવસેના સમર્થકોએ બોર્ડ પર કાળી શાહી લગાવી દીધી
બંને રાજ્યોમાં સતત તણાવની સ્થિતિ બની ગઇ છે
આ તણાવને પગલે કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે ચાલનારી બસ સેવા પણ રોકી દેવામાં આવી છે. હવે બંને રાજ્યો વચ્ચે બસ પણ ચાલી રહી નથી. આજે કોલ્હાપુરમાં શિવસૈનિકોએ થિયેટર બંધ કરી દીધા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ માટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
કર્ણાટકમાં કંઇક તણાવ એ પ્રકારે છે કે, ત્યાંથી પણ બસો મહારાષ્ટ્ર તરફ આવી રહી નથી. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પુતળુ કર્ણાટકમાં સળગાવ્યું હતું. શિવસેના સાંસદ ધૈર્યશીલ મણે આ મામલામાં કહ્યું, કર્ણાટકમાં જે પણ મરાઠી રહે છે શિવસેના તેમની સાથે છે. કર્ણાટકમાં કેટલાક લોકોએ ઉદ્ધવ ઠાકરેનું પુતળુ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
Maharashtra State Transport bus services from Maharashtra's Kolhapur district to Karnataka suspended due to dispute between the two states over Belgaum, the authority has taken this decision on instructions of police.
હવે આ મામલે તણાવ ઓછો થતો દેખાઇ રહ્યો નથી. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સતત આમ માહોલ છે. બંને રાજ્યોની બોર્ડર પર સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે. તણાવને જોતા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.