મુંબઇ:મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલને જોર પકડી લીઘું છે. માસિકથી નિકળેલા આક્રોશિત ખેડૂતો મુંબઇ તરફ માર્ચ કરી રહ્યા છે. ખેડૂતોના અવાજ મુંભની જમીન પર પહોંચી ગયો છે. ભારે સંખ્યામાં ખેડૂતો થાણે પહોંચી ગયા છે. સરકારે આપેલા વચન પૂરા ન કરવાની વિરુદ્ધ આ ખેડૂતો 12 માર્ચે વિધાનસભાનો ઘેરાવો કરશે.
આશરે 30 હજાર ખેડૂતોનો જથ્થો 6 માર્ચે નાસિકથી મુંબઇ તરફ નિકળ્યો હતો. આશરે 180 કિલોમીટર લાંભી આ યાત્રા હેઠળ આ ખેડૂતો હવે મુંબઇ પહોંચી ગયા છે જ્યાં તેમને ડેકો નાંખી દીધો છે. આ ખેડૂતો અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ આંદોન કરી રહ્યા છેય એવું પહેલી વખત છે કે જ્યારે ખેડૂતો પોતાના પરિવારની સાથે રસ્તા પર ઊતર્યા છે.
જો કે હજુ સુધી મહારાષ્ટ્ર સરકારે આ ખેડૂતોની કોઇ પણ માંગણી પર વિચાર કર્યો નથી. ખેડૂતોને ચેતવણી આપી કે જો એમની માંગ પૂરી કરવામાં ના આવી તો એ વિધાનસભાનો અનિશ્વિતકાલીન ઘેરાવો કરશે.