મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અન પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આજે શિવાજી પાર્ક સ્થિત બાલાસાહેબ ઠાકરે મેમોરિયલ ખાતે એક બેઠક યોજાઇ છે. બંન્ને નેતાઓ વચ્ચે નિસર્ગ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત
નિર્સગ વાવાઝોડાને લઇને ચર્ચા
મહારાષ્ટ્રની રાજનીતિમાં શરૂ થઇ નવી અટકળો
દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પણ અહીં પહોંચ્યું હતું, જેમણે વાવાઝોડા પ્રકૃતિને કારણે કોંકણ ક્ષેત્રમાં અસરગ્રસ્ત લોકોની સહાય માટે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
નિસર્ગ વાવાઝોડાથી પ્રભાવિત થયેલ વિસ્તારો અંગે કરાશે ચર્ચા
આ દરમિયાન ફડણવીસે કહ્યું કે, હું અને ભાજપના નેતાઓ બે દિવસ કોંકણ પ્રદેશની મુલાકાતે ગયા હતા. આજે અમે મુખ્યમંત્રીને ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું. બાગાયત ઉદ્યોગને ઘણું નુકસાન થયું છે અને સરકાર તરફથી મળતો ટેકો પુરતો નથી.
Mumbai: Maharashtra CM Uddhav Thackeray arrives at Balasaheb Thackeray Memorial in Shivaji Park. He will hold a meeting here with Leader of Opposition, Devendra Fadnavis over victims of #CycloneNisarga. pic.twitter.com/CtjisfFtsA
શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આજ ખાસ બેઠક યોજાતા મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલની ચર્ચાઓ પણ શરૂ થવા લાગી છે.