દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી 1 લાખ 82 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે તો 51 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ત્યારે આ મહામારીને લઇને કેન્દ્ર સરકારે લોકડાઉન-5 નવા નામ અનલોક-1 સાથે જાહેર કર્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ આરરોજ લૉકડાઉનનો સમયગાળો વધારીને 30 જૂન કરવાની જાહેરાત કરી છે.
લૉકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય
આગામી 30 જૂન સુધી રાજ્યમાં લૉકડાઉન યથાવત રહેશે
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન પ્રમાણે સમગ્ર રાજ્યમાં રાતે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી કરફ્યું યથાવત રાખ્યું છે. આપને જણાવી દઇએ કે, સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે, જ્યાં કોરોના વાયરસના 65 હજારથી વધારે કેસ નોંધાયા છે. તો 2100 જેટલા લોકોના મોત થયાં છે.
એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા બસ સેવા બંધ
આ સાથે જ 5 જૂનથી મોલ અને બજાર પરિસર છોડીને બજાર તથા દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્ય સુધી ઓડ-ઇવન આધારે ખુલ્લા રહી શકશે. આ સાથે જ અંગત કાર્યાલય જરૂરીયાત પ્રમાણે 10 ટકા સ્ટાફ સાથે કામ કરી શકે છે. તો જિલ્લાની અંદર બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જઇ શકાશે નહીં. રાજ્યભરમાં ધાર્મિક સ્થળ, પૂજા સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, વાણંદની દુકાન, સ્પા, સલૂન અને બ્યૂટી પાર્લર બંધ રહેશે.
Maharashtra Government extends the #COVID19 lockdown till 30th June in the state. Movement of individuals to remain strictly prohibited between 9 pm to 5 am except for essential activities. pic.twitter.com/awz8mMXkDk
કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તમિલનાડુ સરકારે લોકડાઉનને વધાર્યુ છે. રાજ્ય સરકારે રવિવારે એલાન કર્યુ કે લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવી રહ્યું છે. આનાથી મઘ્ય પ્રદેશ, પંજાબ જેવા રાજ્ય પોતાના લોકડાઉનને વધારી ચૂક્યા છે.
જોકે તમિલનાડુમાં લોકડાઉન વિસ્તાર દરમિયાન સાર્વજનિક પરિવહનની આશિંક છુટછાટ સહિત કેટલાય પ્રકારની છુટછાટ મળશે. મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ કહ્યું કે ધાર્મિક સ્થળો, આંતરરાજ્ય બસ પરિવહન, મેટ્રો અને ઉપનગરીય રેલ પર પ્રતિબંધ અમલમાં રહેશે.
બિહારમાં કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉન વધાર્યું
બિહારમાં કન્ટેનમેન્ટ ઝોનમાં લૉકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે.