મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન સહયોગી શિવસેનાનું નવી સરકારમાં બરાબરનો ભાગ માંગવાને કારણે ભગવા પાર્ટી માટે સંતુલન સાધવુ પડકારજનક બનતું દેખાઇ રહ્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભાજપને લોકસભા ચૂંટણી પહેલા શાહની સાથે બેઠકમાં નક્કી ફોર્મૂલાની યાદ અપાવી અને કહ્યું કે તેમણે રાજ્યમાં ગઠબંધન માટે 50-50ની ફોર્મૂલાના નિર્ણય લીધો હતો.
શિવસેનાની 50-50 ફોર્મૂલાની માંગને કારણે ભાજપ માટે પડકારજનક સ્થિતિ
શિવેસેનાની માંગને જોતા કોંગ્રેસ અને એનસીપી ભાજપનું કામ બગાડી શકે
શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને આ વખતે 54 બેઠકો મળી
શિવેસેનાની આ માંગને જોતા અંહી કોંગ્રેસ અને એનસીપી ભાજપનું કામ બગાડતી દેખાઇ રહી છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસની રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે સંકેત આપ્યો કે તે શિવસેનાના નેતૃત્વ વાળી સરકારને સમર્થન આપી શકે છે. જ્યારે એના એક દિવસ પહેલા આ પ્રકારનો પ્રસ્તાવ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી છગન ભૂજબલ અને કોંગ્રસના વરિષ્ઠ સાંસદ હુસૈન દલવી દ્વારા આપવામાં આવ્યું હતું. એવુ શિવસેનાના સહયોગી અને સત્તારુઢ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રની વિધાનસભાની 288માંથી 161 બેઠકો જીતવાની સાથે ભગવા ગઠબંધને બહુમતી માટે જરૂરી આંકડો સરળતાથી પાર કરી લીધો છે પરંતુ આ વખતે ભાજપની પોતાની સહયોગી પાર્ટી શિવસેના પર નિર્ભરતા થોડી વધારે છે. કેમકે ગત વખતે જ્યાં ભાજપની 122 બેઠકો હતી ત્યારે આ વખતે તેના ખાતામાં માત્ર 105 બેઠકો આવી છે. શિવસેનાની બેઠકોનો આંકડો પણ ગત વખતના પરિણામો 63થી ઘટીને 56 થઇ છે કેમકે યુપીએ સરકારની સ્થિરતા માટે તેની ભૂમિકા મહત્વપૂર્ણ બનવાની છે.
કોંગ્રેસની વાત કરીએ તો, તેને 44 બેઠકો મળી છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને આ વખતે 54 બેઠકો મળી છે, જે 2014ની તુલનામાં 13 બેઠકો વધારે છે. જો ભાજપની સાથે શિવસેનાની વાત નથી બનતી અને કોંગ્રેસ-એનસીપી તેને સમર્થન આપે છે તો બેઠકોનો આંકડો 154 પર પહોંચી જાય છે. આ આંકડો બહુમતીથી 9 વધારે હશે. જોકે, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું સાથે આવવું મુશ્કેલ છે.
આઇએએનએસને પોતાની રિપોર્ટમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે મીડિયાને કહ્યું, અમારી સાથે તેના પર અત્યાર સુધી શિવસેના સાથે કોઇ વાતચીત નથી થઇ. જોકે, આવુ થાય છે તો અમે આ મામલામાં નિર્ણય પાર્ટી આલાકમાન સમક્ષ મુકીશું.