રાજ ઠાકરેએ 2006માં શિવસેનાથી અલગ થઇને MNSનું નિર્માણ કર્યું હતું. આ વર્ષે થયેલ લોકસભા ચૂંટણીમાં MNSએ પોતાનો એક પણ ઉમેદવાર નહોતો ઉતાર્યો. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 110 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
MNSએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 110 બેઠકો પર ચૂંટણી લડી
એક જ બેઠક પર જીત મળવાની શક્યતા
ચૂંટણી દરમિયાન તેમણે ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મોટો ઝટકો લાગ્યો છે. વલણ અનુસાર MNSને એક બેઠક પર જીત મળવાની શક્યતા છે જ્યારે પાર્ટીએ 110 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારા રાજ ઠાકરે જનતાને પોતાના પક્ષમાં કરવામાં નાકામ દેખાઇ રહ્યા છે. 2009ની વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠકો જીતી હતી ત્યારે 2014ની ચૂંટણીમાં એક. MNSએ આ ચૂંટણીમાં 104 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
રાજ ઠાકરેએ 2006માં શિવસેનાથી અલગ થઇને MNSનું નિર્માણ કર્યું હતું. શિવેસનાના સંસ્થાપક દિવંગત બાલ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા ત્યાર બાદથી જ રાજ ઠાકરે એ પોતાનો રસ્તો અલગ કરી લીધો હતો.
આ વર્ષે થયેલ લોકસભા ચૂંટણીમાં MNSએ પોતાના એક પણ ઉમેદવાર નહોતા ઉતાર્યા. જોકે ચૂંટણી દરમિયાન તેમણે ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. તેઓ પીએમ મોદીના જૂના નિવેદનોની વીડિયો ક્લિપ દ્વારા ભાજપ પર પ્રહારો કરતા રહ્યા છે. આ વર્ષે જુલાઇમાં દિલ્હી આવીને તેમણે ચૂંટણીપંચથી માંગ કરી હતી કે મહારાષ્ટ્રની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે. આ દરમિયાન તેમણે યૂપીએ ચેરપર્સન અને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ ઇવીએમ મુદ્દે ચર્ચા કરી હતી.