મહારાષ્ટ્ર્ વિધાનસભા ચૂંટણી માટે જ્યારે બીજેપીએ ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી, ત્યારે એક ચોંકવાનારી વાત સામે આવી છે. ચંદ્રકાંત પાટિલ, જેમને હાલમાં જ પ્રદેશ બીજેપી અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. એમને તેમના હોમટાઉન કોલ્હાપુરથી નહીં, પરંતુ પૂણેની કોથરૂડ બેઠકથી ચૂંટણી લડવા પર નિર્ણય કરાયો છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે કેમ?
ચંદ્રકાંત પાટિલને અમિત શાહના નજીકના માનવામાં આવે છે
પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠાઓનો દબદબો રહ્યો છે
વાત એમ છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ એવી ચાલ ચાલી છે, જે ત્યાની રાજનીતિને બદલી શકે છે. જેને તમે એક તીરથી બે નિશાન પણ કહી શકો છો. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમા દેશમાં બીજેપીની રાજનીતિની જોવા મળતી એક પેટર્ન નજરે પડી રહી છે.
ચંદ્રકાંત પાટિલને ટિકિટ, મરાઠાઓને રિઝવવાની કોશિશ
દેશના અન્ય ભાગની જેમ મહારાષ્ટ્રમાં પણ બ્રાહ્મણ અને વૈશ્ય પરંપરાગત રીતે બીજેપીના વોટર માનવામાં આવે છે. પરંતુ દરેક જગ્યાએ ચૂંટણી જીતવા માટે આ પૂરતું નથી. જેમકે, મહારાષ્ટ્રને લઇ લો, ચંદ્રકાંત પાટિલ મરાઠા છે. પશ્ચિમી મહારાષ્ટ્રથી છે. જ્યાં મરાઠાઓનો દબદબો રહ્યો છે. અને આ વિસ્તારમાં પરંપરાગત રીતે એનસીપીનો જલવો રહ્યો છે. આ વિસ્તાર શરદ પવારનો માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં જ્યારે આખા દેશમાં મોદીની લહેર હતી. ત્યારે પણ પશ્ચિમી મહારાષ્ટ્રની 58 બેઠકોમાંથી બીજેપીને 19 અને એનસીપીને 16 બેઠકો મળી. પહેલા તો બીજેપીએ પશ્ચિમ મહારાષ્ટ્રના એક નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્યારબાદ તેને પૂણેની એક બેઠકથી ઉતાર્યા, સંદેશ સ્પષ્ટ છે.
પૂણેમાં ચંદ્રકાંત પાટિલનો વિરોધ, BJPને ફાયદો?
કોથરૂડના વર્તમાન ધારાસભ્ય મેધા કુલકર્ણી પણ બ્રાહ્મણ સમાજથી છે. જેમની જગ્યા પાટિલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારથી બીજેપીએ પાટિલને કોથરૂડથી ઉમેદવાર ઉતાર્યા છે, પૂણેનો બ્રાહ્મણ મહાસંઘ પાટિલનો વિરોધ કરી રહ્યો છે. બ્રાહ્મણ મહાસંઘના અરુણ દેવનું કહેવું છે કે અમે હંમેશાથી બીજેપીનો સાથ આપ્યો છે પરંતુ આ વખતે પાર્ટીએ એક બિન બ્રાહ્મણને ટિકિટ આપી ઠીક નથી કર્યું.
આજ વિરોધમાં બીજેપીનો જ ફાયદો છે, બ્રાહ્મણ મહાસંઘની પૂણેમાં અસર થઇ શકે છે પરંતુ આખા મહારાષ્ટ્રમાં નહીં. આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો મરાઠા વોટ નિર્ણાયક છે. એવામાં બ્રાહ્મણ મહાસભાનો આ સવાલ ઉઠાવવો કે બીજેપીએ બ્રાહ્મણને છોડીને મરાઠાને ટિકિટ કેમ આપી રહી છે, આખા રાજ્યમાં મરાઠા વોટરને સ્પષ્ટ સંદેશ આપે છે.
એક તીરથી બે નિશાન
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ સમાજથી છે. કથિત રીતે ખોટુ ચૂંટણી એફિડેવિટ આપવાના મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોઅર કોર્ટ તેના પર નિર્ણય લે. ત્યારે ચંદ્રકાંત પાટિલને ઉઠાવવા પાછળ બીજેપીની રણનીતિ એ પણ હોઇ શકે છે કે એક તરફ તો મરાઠા વોટરને સંદેશ આપવામાં આવે અને બીજી તરફ રાજ્યમાં બીજો પાવર સેન્ટર ઉભો કરવામાં આવે. ચંદ્રકાંત પાટિલને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. નોંધનીય છે કે, ચંદ્રકાંત પાટિલે અત્યાર સુધીમાં કોઇ ચૂંટણી નથી લડી?
એમા કોઇ આશંકા નથી કે, જે કોથરૂડ બેઠક પરથી ચંદ્રકાંતને ઉતારવામાં આવ્યા છે, તે બીજેપીની પૂણેની સૌથી મજબૂત બેઠક છે. અહીંની તમામ 8 વિધાનસભા બેઠકો પર બીજેપીનો કબજો છે. ચંદ્રકાંત પાટિલ બે વાર MLC રહ્યા છે.