દેશમાં ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
1 થી 8 ની પરીક્ષા રદ્દ કરવાનો સરકારે લીધો નિર્ણય
મહારાષ્ટ્રમાં 45 હજારથી વધુ નોઁધાયા છે કેસ
તેને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકારે વર્ગ 1 થી 8 ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે કરી જાહેરાત
મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે આજે રાજ્યના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. એક નાના રેકોર્ડેડ સંદેશમાં ગાયકવાડે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્ર રાજ્યના વર્ગ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર જ આગળના વર્ગમાં પદોન્નતી આપવામાં આવશે.
ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને પણ નિર્ણય લેવાશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે 45 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કોરોનાને કારણે રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા તેમણે આ મહત્વનો નિર્ણય લીધો છેય આ સાથે જ તેમનું કહેવું છે કે, ઝડપથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને પણ નિર્ણય લેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં હાલ કોરોનાની સ્થિતિ
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 29 લાખથી વધુ કોરોનાના વાયરસના કેસ નોઁધાયા છે. તો રાજ્યમાં 55 હજારથી વધુ લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આ સિવાય રાજ્યમાં હાલ 4 લાખ કેસ એક્ટિવ છે.