મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. જેની તીવ્રતા 3.6 હતી.
પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 માપવામાં આવી
સવારે 07.07 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા
પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 માપવામાં આવી છે. જાણકારી અનુસાર ગુરુવારે સવારે 07.07 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જો કે હજું સુધી કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
An earthquake of magnitude 3.6 on the Richter scale hit Palghar, Maharashtra at 7.07 am today: National Centre for Seismology
ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ આજે પણ વહેલી સવારે 04:52 મિનિટે આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર હતુ. નોંધનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની નોંધાઈ છે.
આ જગ્યાઓ પર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે
નોંધનીય છે કે નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ ઉપરાંત સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. મણિપુરના ચંદેલમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપ આવવાનું શું છે કારણ
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?