મુંબઇના ધારાવીમાં અંદાજે 400 શિવસેના કાર્યકર્તાઓએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આ શિવસેના માટે મોટો ઝટકો છે. ભાજપામાં જોડાયેલા કાર્યકરો શિવેસનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી હોવાથી ખાસા નારાજ છે. કાર્યકરોએ પ્રહાર કરતા કહ્યું કે શિવસેનાએ ભ્રષ્ટ અને વિરોધી પક્ષ સાથે હાથ મેળવ્યો છે.
ધારાવી ખાતે 400 શિવસેના કાર્યકરો ભાજપમાં જોડાયા
શિવસેનાએ એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવતા થયા નારાજ
ભાજપમાં સામેલ થયેલા કાર્યકર્તા રમેશ નાડારે જણાવ્યું કે પક્ષના 400 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાં છે, કારણ કે શિવસેનાએ ભ્રષ્ટ અને હિંદુ વિરોધી પક્ષ સાથે ગઠબંધન કરતાં તેઓ પોતાની જાતને સાથે છેતરપિંડી થઇ હોવાનું વિચારી રહ્યાં છે. કાર્યકર્તાઓ શિવસેના પર માત્ર સરકાર બનાવા મહાવિકાસ આઘાડીમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો.
રમેશ નાડારે કહ્યું કે હજી બીજા ઘણા કાર્યકર્તાઓ છે જે શિવસેનાથી નારાજ છે. કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા 7 વર્ષથી NCP અને કોંગ્રેસ વિરુધ્ધ લડી રહ્યાં હતા. ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓએ ઘર-ઘર જઇ મત માગ્યો હતો પરંતુ હવે તેઓ કેવી રીતે સામે જોઇ શકશે જે લોકો પાસેથી ઇમાનદાર સરકાર બનાવવા મત માગ્યા હતા.