મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્યપ્રદેશમાં 2022ની શરૂઆતમાંજ લોકડાઉન લાગે તેવી સંભાવના સેવાઈ રહી છે. અહીયા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે લોકડાઉન લાગવાની સંભવના
નવા વર્ષે દિલ્હીમાં પણ લોકડાઉન થવાની પૂરી શક્યતા
મધ્યપ્રદેશમાં પણ કોરોનાને કારણે ગંભીર પરિસ્થિતી
દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. સાથેજ પ્રતિબંધો પણ લાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે આવા સમયે એક વાર ફરી લોકડાઉન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. એટલે બની શકે કે 2022ની શરૂઆત લોકડાઉનથી થઈ શકે છે. વધતા જતા કેસો હવે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. સાથેજ લોકોમાં હવે ધીરે ધીરે ભયનો માહોલ પણ ફેલાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે કેસ
ખાસ કરીને મહારાષ્ટ્ર દિલ્હી એવા રાજ્યો છે જ્યા કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી લોકોના મનમાં એકજ સવાલ થઈ રહ્યો છે કે શું ફરીથી લોકડાઉન લાગશે. કારણકે જો ફરી લોકડાઉન લાગ્યું તો બધાએ ફરજિયાત ઘરમાં બેસવું પડશે.
લોકડાઉનનો નિર્ણય CM લેશ: સ્વાસ્થ્ય મંત્રી
વાત કરીએ મહારાષ્ટ્રની તો અહીયા અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. સાથેજ પહેલાથી અહિયાની સરકાર દ્વારા નાઈટ કર્ફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે. અહીયા લોકડાઉન લાગે તેની પુરેપુરી આશંકા છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. સમગ્ર મામલે સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધારે છે સાથેજ મુંબઈમાં લોકડાઉન લગાવું કે ન લગાવું તેનો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવશે.
દિલ્હીમાં સૌથી પહેલા પ્રતિબંધો લાગ્યા
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે દેશની રાજધાની હોવાને કારણે દિલ્હી સરકાર દ્વારા સૌથી પહેલા પ્રતિબંધો લગાવામાં આવ્યા હતા. વધતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી કેજરીવાલનું પણ આજ કહેવું હતું કે લોકડાઉન લગાવી દેવામાં આવે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી.
ઈન્દોર અને ભોપલામાં સૌથી વધારે કેસ
મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્દોર અને ભોપાલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જોકે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા એવું કહેવામા આવ્યું છે કે લોકડાઉન હાલ નહી લગાવામાં આવે જે જે જગ્યાઓ પર કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યા પ્રતિબંધનો જરૂર વધારવામાં આવશે.